Seaplane Service : 13 કરોડનો ધુમાડો કર્યા પછી ગુજરાત સરકારને થયું બ્રહ્મ જ્ઞાન! સી- પ્લેન સર્વિસ બંધ કરાઇ
Seaplane Service : સી-પ્લેન સેવા પર પોતાના જ જવાબમાં યુ-ટર્ન લેતા સરકારે જણાવ્યું હતું કે, સી પ્લેન સેવાને બંધ કરવામાં આવી હતી. કારણ કે, સંચાલનનો ખર્ચ ઘણો મોંઘો હતો.
Seaplane Service : ગુજરાત સરકાર દ્વારા ગુરુવારના રોજ રાજ્યની વિધાનસભામાં સ્વીકાર્યું હતું કે, તેમણે અતિશય ઓપરેશનલ ખર્ચને કારણે 13 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યા પછી દેશની પ્રથમ કહેવાતી સી પ્લેન સેવા બંધ કરી દીધી છે.

સાબરમતીથી ભાજપના ધારાસભ્ય હર્ષદ પટેલે એક સપ્તાહ પહેલા વિધાનસભામાં સી પ્લેન સેવા અંગે પ્રશ્ન ઉઠાવ્યો હતો. જે બાદ વહીવટીતંત્રે જવાબ આપ્યો કે, સી પ્લેન લોન્ચ કરવાની યોજના બનાવવામાં આવી છે. માર્ગદર્શિકા મુજબ કાર્યવાહી કરવામાં આવી છે. આ પ્રક્રિયા પૂર્ણ થતાંની સાથે જ સેવા ફરી શરૂ કરવામાં આવશે.
સી-પ્લેન સેવા પર પોતાના જ જવાબમાં યુ-ટર્ન લેતા સરકારે જણાવ્યું હતું કે, સેવાને બંધ કરવામાં આવી હતી. કારણ કે, સંચાલનનો ખર્ચ ઘણો મોંઘો હતો. સરકારે ગૃહમાં સ્વીકાર્યું કે, તે સી પ્લેન પર 13.15 કરોડથી વધુ ખર્ચ કરી ચૂકી છે.
કોંગ્રેસના નેતા અર્જુન મોઢવાડિયાના પ્રશ્નના જવાબમાં, સરકારે જણાવ્યું હતું કે, અમદાવાદથી કેવડિયા સુધીની સી-પ્લેન સેવા 2020માં 13,15,06,737 રૂપિયાના ખર્ચે શરૂ કરવામાં આવી હતી. સરકારે એમ પણ જણાવ્યું હતું કે, નાણાકીય કારણોસર અને ઓપરેટર માટે ઓપરેશનના ઊંચા ખર્ચને કારણે સી પ્લેન સેવા 2021માં બંધ કરવામાં આવી હતી.
સરકારે ગૃહમાં સ્વીકાર્યું હતું કે, વિદેશી-રજિસ્ટર્ડ એરક્રાફ્ટના સંચાલન અને જાળવણીને મુશ્કેલ બનાવવાને કારણે સેવા અટકાવવામાં આવી હતી. પૂર્વ કેબિનેટ મંત્રી પૂર્ણેશ મોદીએ અગાઉ વચન આપ્યું હતું કે, કેવડિયાથી અમદાવાદ સી-પ્લેન માટેની સેવા ટૂંક સમયમાં શરૂ થશે. 31 ઓક્ટોબર, 2020ના રોજ, વડાપ્રધાન મોદીએ સ્ટેચ્યુ ઓફ યુનિટી માટે કેવડિયાથી અમદાવાદ સુધી સી પ્લેન સેવા શરૂ કરી હતી, જે બાદમાં સમારકામ માટે માલદીવ મોકલવામાં આવી હતી.
-
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ -
નાના થઈ જશે ગેસ સિલિન્ડર? જાણો શું છે હકિકત? -
ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીઓ માટે મતદાર યાદી જાહેર, જાણો કેટલા મતદાર?








Click it and Unblock the Notifications
