ગુજરાત સરકારે સર્વાંગી શિક્ષણ માટે 'જ્ઞાન સપ્તાહ'નો આરંભ કર્યો
અમદાવાદ, 1 સપ્ટેમ્બર : ગુજરાત સરકાર દ્વારા શિક્ષણનો અધિકાર આપવાની દિશામાં અત્યાર સુધીમાં કન્યા કેળવણી, શાળા પ્રવેશોત્સવ, ગુણોત્સવ જેવા કાર્યક્રમો સફળતાપૂર્વક ચલાવ્યા છે. આ દિશમાં હવે ગુજરાત સરકારે 'જ્ઞાન સપ્તાહ' શરૂ કર્યું છે. આ કાર્યક્રમ બાળકોને સર્વાંગી શિક્ષણ મળી રહે તેવા હેતુ સાથે શરૂ કર્યો છે.
આજે ગુજરાતના મુખ્યમંત્રી આનંદીબેન પટેલે 'જ્ઞાન સપ્તાહ'નો આરંભ કરાવ્યો હતો. શિક્ષિક દિન નિમિત્તે આગામી તારીખ 1 થી 5 સપ્ટેમ્બર, 2014 દરમિયાન રાજ્યવ્યાપી 'જ્ઞાન સપ્તાહ' કાર્યક્રમની ઉજવણીનું આયોજન રાજ્ય સરકારે કર્યું છે.
જ્ઞાન સપ્તાહ દરમિયાન બાળકોને સ્વચ્છતાના સંસ્કાર, શાળાઓમાં સફાઈ, વૃક્ષારોપણ, પાણીનું શુધ્ધિકરણ, ઓરડાઓની ફાળવણી, રંગોળી વગેરે સ્પર્ધાઓ, પેવર સહિત વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા શિક્ષણ સંબંધિત પ્રશ્નો ઉપર ધ્યાન કેન્દ્રિત કરીને શિક્ષણ તથા સ્વચ્છતા માટેનું પ્રોત્સાહક વાતાવરણ ઊભું કરવામાં આવશે. નિવૃત્ત શિક્ષકોના સન્માનના ખાસ કાર્યક્રમ રાખવામાં આવશે.

1
1 સપ્ટેમ્બરથી જ્ઞાન સપ્તાહનો આરંભ

2
સમૃદ્ધિની દિશામાં આગે કદમ

3
સ્વ શિક્ષણ માટે સજ્જ

4
સાથે મળીને પ્રયાસ કરી સમુલ્લાસનો અનુભવ કરવો

5
શિક્ષકોનું સન્માન કરવું












Click it and Unblock the Notifications
