ગુજરાતમાં વધુ એક બ્રિજ ભારે વાહનો માટે બંધ કરાયો, દાહોદના હડફ બ્રિજની હાલતને લઈને કાર્યવાહી
દાહોદ જિલ્લામાં વધુ એક પુલની જર્જરિત હાલત સામે આવતા સરકાર એક્શનાં આવી છે. અહેવાલો અનુસાર, લીમખેડાના હડફ બ્રિજને હાલ પૂરતો ભારે વાહનો માટે બંધ કરવામાં આવ્યો છે. પુલની સ્થિતિને ધ્યાનમાં લઈને પ્રશાસને સુરક્ષાને પ્રાથમિકતા આપતાં આ નિર્ણય લીધો છે.
હડફ બ્રિજ બંધ કરાતા, હવે ભારે વાહનો માટે નવી માર્ગવ્યવસ્થા અમલમાં મુકાઈ છે. અમદાવાદ, બાલાસીનોર, સેવાલિયા અથવા ગોધરા તરફથી ઝાલોદ તરફ જતા વાહનો માટે હવે લીમખેડા બાયપાસ થકી વટેડા ગામ થઈને લીમડી તરફ માર્ગ સુચવવામાં આવ્યો છે.

આ નિર્ણય અસરગ્રસ્ત વાહનચાલકો માટે થોડો સમય માટે અસુવિધાજનક બની શકે છે, પરંતુ ભવિષ્યમાં કોઈ પણ દુર્ઘટના અટકાવવા માટે પગલાં લેવાઈ રહ્યા છે.
જણાવી દઈએ કે, ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ સરકાર સફાળી જાગી છે અને ગુજરાતભરમાં જર્જરિત પુલોની ચકાસણી કરાઈ રહી છે. આ પહેલા પણ રાજ્યના ઘણા પુલ બંધ કરાયા છે.
અહીં તમને એ પણ જણાવી દઈએ કે, ગંભીરા બ્રિજ ધરાસાઈ થતા 20 લોકોના જીવ ગયા હતા. આ ઘટનાએ ગુજરાત સરકારના ભ્રષ્ટાચારની પોલ ખોલી નાંખી છે. આ જ કારણ છે કે હવે સરકાર એક્શનમાં આવી છે.












Click it and Unblock the Notifications
