રાજ્યમાં હિટવેવ વચ્ચે ગરમીથી રાહત આપતા સમાચાર
ગુજરાતમાં હાલ આકરી ગરમીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે અને જનજીવન પ્રભાવિત થયું છે. હવામાન વિભાગે આગામી બે દિવસ સુધી રાજ્યમાં હીટવેવ ચાલુ રહેવાની ગંભીર આગાહી કરી છે. જોકે, 48 કલાક પછી તાપમાનમાં ઘટાડો થતા ગરમીથી આંશિક રાહત મળવાની શક્યતા છે.

હવામાન વિભાગના ડાયરેક્ટર એ.કે. દાસના જણાવ્યા મુજબ ગરમ પવનો ફૂંકાઈ રહ્યા છે. રાજકોટ અને સુરેન્દ્રનગર જિલ્લાઓ માટે ખાસ 'ઓરેન્જ એલર્ટ' જાહેર કરવામાં આવ્યું છે. અમદાવાદ, સુરત અને વડોદરા સહિતના અન્ય મુખ્ય શહેરોમાં 'યલો એલર્ટ' અપાયું છે.
વલ્લભ વિદ્યાનગરમાં ગરમીએ 62 વર્ષનો રેકોર્ડ તોડી 42.3 ડિગ્રી તાપમાન નોંધાવ્યું છે. અમદાવાદ અને રાજકોટમાં પણ પારો 41 ડિગ્રીને વટાવી જતાં લોકો અકળાઈ ઉઠ્યા છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં ભેજવાળા પવનોને કારણે બફારાનું પ્રમાણ પણ વધારે રહેશે.
રાજકોટ મહાનગરપાલિકાએ બપોરે 1 થી 5 દરમિયાન બહાર ન નીકળવા અપીલ કરી છે. આરોગ્ય વિભાગે હીટ સ્ટ્રોકથી બચવા તમામ કેન્દ્રો પર ORSની સુવિધા ઉપલબ્ધ કરાવી છે. નાગરિકોને ઘરની બહાર નીકળતી વખતે પાણી સાથે રાખવા અને સુતરાઉ કપડાં પહેરવા સલાહ છે.
માર્ચ મહિનાની શરૂઆતમાં જ તાપમાન 40 ડિગ્રી વટાવી જતાં લોકોમાં ચિંતા વધી છે. ઉત્તર અને મધ્ય ભારતના રાજ્યોમાં પણ હાલ આવી જ આકરી ગરમી પડી રહી છે. રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં પણ પારો ઊંચો જતાં ગરમીનું મોજું ફરી વળ્યું છે.
-
રાજકોટ AIIMS માં સર્જરીના આંકડામાં ધરખમ ઉછાળો: વર્ષ 2025માં 1,900 થી વધુ ઓપરેશન સફળતાપૂર્વક સંપન્ન -
મુંબઇ ઇન્ડિયન્સે બુમરાહની ભૂમિકા પર પુનર્વિચાર કરવો જોઈએઃ ફાફ -
ઈરાન યુદ્ધ વૈશ્વિક ઉર્જા સંકટને વેગ આપે છે, સ્વચ્છ ટેકનોલોજીમાં ચીનની સ્થિતિ મજબૂત બનાવે છે -
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
સીમાંકન નહીં, મહિલા અનામત એ સાચો મુદ્દો છે: સોનિયા ગાંધી -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
ગુજરાત કોંગ્રેસે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા પોલીસ પર ઉમેદવારોને ડરાવવાનો આરોપ લગાવ્યો -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
આંબેડકર જયંતિની ઉજવણી દરમિયાન કાસગંજ, આગ્રા અને લખીમપુર ખેરીમાં તણાવ ફાટી નીકળ્યો










Click it and Unblock the Notifications
