2666 ગ્રામ પંચાયતો માટે પંચાયત ઘર અને તલાટી આવાસોનું ઈ-ખાતમૂહર્ત કરાયું
ગુજરાત સરકાર દ્વારા રાજ્યના ગ્રામીણ વિકાસને વેગ આપવા માટે ગાંધીનગરમાં એક સાથે 2666 ગ્રામ પંચાયતો માટે પંચાયત ઘર અને તલાટી આવાસોનું ઈ-ખાતમૂહર્ત કરવામાં આવ્યું છે.
કુલ 663 કરોડના ખર્ચે તૈયાર થનારા આ આવાસો અને ભવનોને કારણે ગ્રામીણ નાગરિકોને હવે તમામ સરકારી સેવાઓ પોતાના જ વિસ્તારમાં ખૂબ જ સરળતાથી ઉપલબ્ધ થઈ શકશે.

આ સાથે જ સરકાર દ્વારા 'મુખ્યમંત્રી ગ્રામોત્થાન યોજના’નું રાજ્યવ્યાપી લોન્ચીંગ પણ કરાયું છે, જે અંતર્ગત રાજ્યના ગામડાઓને શહેર જેવી આધુનિક સુવિધાઓથી સજ્જ કરવામાં આવશે.
યોજનાના પ્રથમ તબક્કામાં 114 તાલુકા મથકોના એવા ગામોની પસંદગી કરાઈ છે જે નગરપાલિકા નથી, જ્યાં રોડ, પાણી, સ્વચ્છતા અને સોલાર સ્ટ્રીટ લાઈટ્સ જેવી શહેરી સુવિધાઓ અપાશે.
ગુજરાત સરકારનું લક્ષ્ય છે કે 10 હજારથી વધુ વસ્તી ધરાવતી પંચાયતોને આ યોજનામાં આવરી લેવામાં આવે, જેથી શહેરો પરનું વસ્તીનું ભારણ ઘટે અને ગ્રામ્ય જીવન વધુ સુવિધાજનક બને.












Click it and Unblock the Notifications
