ગુજરાતમાં એમ્સ પર રાજકારણ ગરમાયું, વડોદરાના 8 ધારાસભ્યોએ દાવો ઠોક્યો
ગુજરાતઃ એમ્સ પર રાજકારણ ગરમાયું, વડોદરાના ધારાસભ્યનો દાવો
ગાંધીનગરઃ ગુજરાતમાં એમ્સ કોને મળશે આ મુદ્દા પર અહીં બે શહેર રાજકોટ અને વડોદરા વચ્ચે રાજનીતિમાં ગરમાવો આવ્યો છે. બંને વિસ્તારના ધારાસભ્યો પોતાના દાવા ઠોકી રહ્યા છે. આ દરમિયાન સીએમ વિજય રૂપાણી એટલું જ બોલી શક્યા કે 'એમ્સ ક્યાં અને કોને આપવી, તેનો ફેસલો ગુજરાત સરકાર નહિં, બલકે કેન્દ્ર સરકાર કરે છે. તમારી જે ચિંતા છે તે હું બસ ઉપર સુધી પહોંચાડી શકું.'
એમ્સમાં નેતાઓએ પોતપોતાના વિસ્તાર માટે દાવા ઠોક્યા
જણાવી દઈએ કે એકલા વડોદરા જિલ્લાના 8 ધારાસભ્યોએ એમ્સને લઈને દાવા ઠોક્યા છે. જસદણ સીટની પેટાચૂંટણીના બે દિવસ પહેલા ભાજપના પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણી અને અન્ય નેતાઓએ એલાન કરી દીધું હતું કે 'મોદી સરકારે રાજકોટને એમ્સ આપવાનો ફેસલો લઈ લીધો છે, સત્તાવાર જાહેરાત જસદણની ચૂંટણી પછી થશે.' જણાવી દઈએ એમ્સ રાજકોટ મળનાર હોવાનું જીતુ વાઘાણીના નિવેદનનું ઉર્જા મંત્રી સૌરભ પટેલે પણ સમર્થન કર્યું હતું.
એમ્સની જાહેરાત જ ખોટી હતી?
જ્યારે ચૂંટણીના આટલા દિવસ બાદ પણ એમ્સને લઈને કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી. કેટલાક લોકોનું કહેવું છે કે જસદણ પેટાચૂંટણી જીતવા માટે ભાજપની આ માત્ર એક ચાલ હતી. જેમાં ચૂંટણી પંચે પણ આચાર સંહિતાના ભંગની ફરિયાદ દાખલ કરી હતી, પરંતુ કોઈ ફેસલો નહોતો સંભળાવ્યો. જ્યારે વડોદરાના ધારાસભ્યોનું માનીએ તો એમ્સ ગુજરાતમાં આવશે અને ક્યાં આવશે તેને લઈ તેઓ રૂપાણીને મળી પણ ચૂક્યા છે. તેમણે પોતાના વિસ્તાર માટે એમ્સની માગણી કરી છે.
રૂપિયાણીએ સ્પષ્ટતા કરી
વિજય રૂપાણીએ 20 મિનિટ સુધી આ ધારાસભ્યોની વાત સાંભળી અને બાતમાં જણાવ્યું કે આ મોટી વાત છે કે ગુજરાતના વડોદરા કે રાજકોટને એમ્સ મળી રહી છે, પરંતુ કોને મળશે તેનો ફેસલો કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવે છે. રૂપાણીને મળનાર ધારાસભ્યોમાં યોગેશ પટેલ, મધુ શ્રીવાસ્તવ, કેતન ઈનામદાર, મનિષા વકીલ, શૈલેશ મેહતા, સી.કે. રાઉલજી સહિત આઠ ધારાસભ્યો હતા. આ ધારાસભ્યોનું કહેવું હતું કે અમે રાજકોટ કે અન્ય કોઈ વિસ્તારના વિરોધમાં નથી, પરંતુ જો વડોદરાને એમ્સ મળે છે તો આદિવાસી લોકોને પણ તેનો લાભ મળી શકે છે. આ ઉપરાંત મધ્ય પ્રદેશ અને રાજસ્થાનના લોકો પણ વડોદરા આવીને ઈલાજ કરાવી શકશે.
મધ્ય ગુજરાતના ધારાસભ્ય નારાજ
ઉલ્લેખનીય છે કે ડિસેમ્બર 2017માં થયેલ વિધાનસભા ચૂંટણીમાં ભાજપે 99 સીટની સાથે સરકાર બનાવી લીધી હતી, પરંતુ મધ્ય ગુજરાતના ધારાસભ્યોને કેબિનેટમાં કોઈ જગ્યા નહોતી આપવામાં આી. જે બાદ મધ્ય ગુજરાતના ધારાસભ્યોએ હંગામો પણ મચાવ્યો હતો. વડોદરાના તમામ ધારાસભ્યો સરકારના વલણથી પણ સખ્ત નારાજ છે.
એમ્સને લઈ આવી ખેંચતાણ થઈ
યોગેશ પટેલ સતત 6 વખત વડોદરામાં ભાજપની સીટ પરથી ચૂંટાયા છે, પરંતુ પાંચ મહિના પહેલા જ્યારે ગાંધીનગર આવ્યા તો મંત્રીગણ અને ઑફિસર વર્ગે તેમની એક ન સાંભળી. આ મામલે તેમણે તેમણે સરકાર સામે વિરોધ વ્યક્ત કર્યો હતો. યોગેશ પટેલની સાથે મધુ શ્રીવાસ્તવ અને કેતન ઈમાનદાર પણ જોડાયેલ હતા. તે લોકોનું કહેવું હતું કે ચૂંટણી પ્રતિનિધિઓની અનદેખી કરવામાં આવે છે. વરિષ્ઠ ઑફિસર ભ્રષ્ટાચાર કરે છે. એ સમયે સરકારે તેમને કાર્યવાહી કરવાનું આશ્વાસન આપ્યું હતું, પરંતુ કોઈ કાર્યવાહી કરવામાં આવી નહિ. હવે આ એમ્સના મામલામાં ફરીથી સરકાર સામે ઉભા થયા છે.
મોદીના એલાન પહેલા થશે ઘોષણા?
નિષ્ણાંતો મુજબ લોકસભા ચૂંટણીમાં સૌરાષ્ટ્રનું પલડું કોંગ્રેસ તરફ જઈ રહ્યું છે અને રાજ્યના મુખ્યમંત્રી પણ રાજકોટથી છે, તો એવું લાગે છે કે એમ્સ રાજકોટને જ મળશે. એક કારણ એ પણ છે કે જણાવવામાં આવી રહ્યું છે કે સૌરાષ્ટ્રમાં લોકસભાની 7 સીટ છે અને મોદી આ સીટ હારવા નથી માંગતા. શક્યતા છે કે પીએમ મોદી વાઈબ્રેન્ટ સમિટનું ઉદ્ઘાટન કરે તે પહેલા જ એમ્સની ઘોષણા થશે.