મોદી PM ઉમેદવાર બનાવવા ગુજરાતના મુસ્લિમોની મન્નત
ગાંધીનગર, 21 ઓગસ્ટ : ગુજરાતના મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદી દેશના વડાપ્રધાન પદના ઉમેદવાર જાહેર થાય તેવી ઇચ્છા ભાજપના કાર્યકરો અને નેતાઓની સાથે ગુજરાતના મુસ્લિમોની પણ છે. આ માટે ગુજરાતના મુસ્લિમો એ અજમેર શરીફની મન્નત માની છે.
ગુજરાતના એક મુસ્લિમ સમુદાયે મોદીને વડાપ્રધાન પદના ઉમેદવાર જાહેર કરાય તે માટે અજમેર શરીફ જઈ હજરત ખ્વાજા મોઇનુદ્દીન ચિશ્તીની દરગાહે ચાદર ચઢાવવાની માનતા માની છે. આ જૂથેના લોકોએ મંગળવારે ગાંધીનગર ખાતે મુખ્યપ્રધાનને હિન્દુ તહેવાર રક્ષાબંધનની શુભેચ્છા પાઠવી હતી.

ઉલ્લેખનીય છે કે ભાજપે અગાઉ જ મુખ્યપ્રધાનને લોકસભા માટે ચૂંટણી પ્રચારના અધ્યક્ષ તરીકે નિમાયા છે. એટલું જ નહીં ભાજપ અધ્યક્ષ રાજનાથ સિંહે પણ પરોક્ષ રીતે મોદીને વડાપ્રધાન પદ માટે સ્વીકારી લીધા છે. હાલમાં હૈદરાબાદમાં થયેલ રેલી દરમિયાન મોદી એ ભાજપ માટે લોકસભા ચૂંટણીના પ્રચાર મંડાણ પણ કર્યા. ત્યારે હિન્દુ સમૂદાય સાથે સાથે ગુજરાતના મુસ્લિમ સમૂદાયનું પણ સમર્થન તેમને મળી રહ્યું છે.
-
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા -
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
મુંબઇ ઇન્ડિયન્સે બુમરાહની ભૂમિકા પર પુનર્વિચાર કરવો જોઈએઃ ફાફ -
રાજકોટ AIIMS માં સર્જરીના આંકડામાં ધરખમ ઉછાળો: વર્ષ 2025માં 1,900 થી વધુ ઓપરેશન સફળતાપૂર્વક સંપન્ન -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
સોનિયા ગાંધીએ સરકારના સીમાંકન પ્રસ્તાવને બંધારણ પર ખતરનાક હુમલો ગણાવ્યો





Click it and Unblock the Notifications
