મોદી PM ઉમેદવાર બનાવવા ગુજરાતના મુસ્લિમોની મન્નત
ગાંધીનગર, 21 ઓગસ્ટ : ગુજરાતના મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદી દેશના વડાપ્રધાન પદના ઉમેદવાર જાહેર થાય તેવી ઇચ્છા ભાજપના કાર્યકરો અને નેતાઓની સાથે ગુજરાતના મુસ્લિમોની પણ છે. આ માટે ગુજરાતના મુસ્લિમો એ અજમેર શરીફની મન્નત માની છે.
ગુજરાતના એક મુસ્લિમ સમુદાયે મોદીને વડાપ્રધાન પદના ઉમેદવાર જાહેર કરાય તે માટે અજમેર શરીફ જઈ હજરત ખ્વાજા મોઇનુદ્દીન ચિશ્તીની દરગાહે ચાદર ચઢાવવાની માનતા માની છે. આ જૂથેના લોકોએ મંગળવારે ગાંધીનગર ખાતે મુખ્યપ્રધાનને હિન્દુ તહેવાર રક્ષાબંધનની શુભેચ્છા પાઠવી હતી.

ઉલ્લેખનીય છે કે ભાજપે અગાઉ જ મુખ્યપ્રધાનને લોકસભા માટે ચૂંટણી પ્રચારના અધ્યક્ષ તરીકે નિમાયા છે. એટલું જ નહીં ભાજપ અધ્યક્ષ રાજનાથ સિંહે પણ પરોક્ષ રીતે મોદીને વડાપ્રધાન પદ માટે સ્વીકારી લીધા છે. હાલમાં હૈદરાબાદમાં થયેલ રેલી દરમિયાન મોદી એ ભાજપ માટે લોકસભા ચૂંટણીના પ્રચાર મંડાણ પણ કર્યા. ત્યારે હિન્દુ સમૂદાય સાથે સાથે ગુજરાતના મુસ્લિમ સમૂદાયનું પણ સમર્થન તેમને મળી રહ્યું છે.












Click it and Unblock the Notifications
