Gujarat New Cabinet: નવા મંત્રીમંડળની પ્રથમ કેબિનેટ બેઠક શરૂ, ટૂંક સમયમાં મંત્રીઓને પોર્ટફોલિયોની ફાળવણી થશે
Gujarat New Cabinet 2025: CM ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળના ગુજરાતના નવા મંત્રીમંડળની શપથવિધિ આજે (17 ઓક્ટોબર) પૂર્ણ થતાંની સાથે જ રાજ્યનું રાજકારણ હવે ખાતાઓની ફાળવણી પર કેન્દ્રિત થયું છે. શપથ ગ્રહણ સમારોહમાં મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સહિત કુલ 21 મંત્રીઓએ શપથ લીધા છે.

પ્રથમ કેબિનેટ બેઠક શરૂ
શપથવિધિ પૂર્ણ થયા બાદ તરત જ ગુજરાતના નવા મંત્રીમંડળની પ્રથમ કેબિનેટ બેઠક શરૂ થઈ ચૂકી છે. આ બેઠકમાં પોર્ટફોલિયોની અંતિમ ફાળવણી પર મહોર મારવામાં આવશે અને ટૂંક સમયમાં જ મંત્રીઓને તેમના વિભાગોની જવાબદારી સોંપવામાં આવશે.
નાયબ મુખ્યમંત્રી તરીકે હર્ષ સંઘવી
અગાઉ રાજ્ય કક્ષાના મંત્રી રહેલા હર્ષ સંઘવીને નાયબ મુખ્યમંત્રી તરીકે બઢતી આપવામાં આવતાં હવે રાજ્યના ગૃહ, નાણાં, શિક્ષણ, ઉદ્યોગ અને શહેરી વિકાસ જેવા મહત્ત્વના વિભાગોમાં મોટા ફેરફારો નિશ્ચિત બન્યા છે.
મંત્રીમંડળનું કદ
નવા મંત્રીમંડળમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સહિત કુલ 26 સભ્યોનો સમાવેશ થાય છે.
આમાં, કેબિનેટ કક્ષાના 8 મંત્રી
રાજ્ય કક્ષાના (સ્વતંત્ર હવાલો) 3 મંત્રી
રાજ્ય કક્ષાના 13 મંત્રી
નોંધનીય છે કે ઋષિકેશ પટેલ, કુંવરજી બાવળિયા, પરસોત્તમ સોલંકી અને કનુ દેસાઈએ શપથ લીધા નહોતા, કારણ કે તેમનો અગાઉનો મંત્રીપદનો દરજ્જો યથાવત્ રાખવાનું નક્કી કરાયું હતું.
સચિવાલયમાં નેમ પ્લેટ બદલવાની કામગીરી
ગાંધીનગરના સચિવાલયમાં રાજકીય ફેરફારની અસર તાત્કાલિક જોવા મળી રહી છે. હાલમાં મંત્રીઓની જૂની નેમ પ્લેટ બદલવાની કામગીરી ચાલી રહી છે. માહિતી મુજબ, કુંવરજી બાવળિયા અને કનુ દેસાઈની જૂની નેમ પ્લેટ હટાવી દેવામાં આવી છે. ખાતા ફાળવણી બાદ નવી નેમ પ્લેટ લગાવવામાં આવશે, જેમાં તેમના પોર્ટફોલિયોની વિગતો હશે.
ગુજરાતનું નવું મંત્રીમંડળ (સંક્ષિપ્ત યાદી):
હોદ્દો - મંત્રીનું નામ
મુખ્યમંત્રી - ભૂપેન્દ્ર પટેલ
નાયબ મુખ્યમંત્રી - હર્ષ સંઘવી
કેબિનેટ મંત્રીઓ - ઋષિકેશ પટેલ, જીતુ વાઘાણી, કુંવરજી બાવળિયા, કનુ દેસાઈ, નરેશ પટેલ, અર્જુન મોઢવાડિયા, ડૉ. પ્રદ્યુમ્ન વાજા, રમણ સોલંકી
રાજ્ય કક્ષાના મંત્રી (સ્વતંત્ર હવાલો) - ઈશ્વર પટેલ, પ્રફુલ પાનસેરિયા, મનીષા વકીલ
રાજ્ય કક્ષાના મંત્રી - ઓપરસોત્તમ સોલંકી, કાંતિલાલ અમૃતિયા, રમેશ કટારા, દર્શના વાઘેલા, કૌશિક વેકરિયા, પ્રવીણ માળી, જયરામ ગામિત, ત્રિકમ છાંગા, કમલેશ પટેલ, સંજયસિંહ મહિડા, પી.સી. બરંડા, સ્વરૂપજી ઠાકોર, રિવાબા જાડેજા
-
યુએન રિપોર્ટમાં અધૂરા વચનો વચ્ચે શ્રીમંત અને ગરીબ રાષ્ટ્રો વચ્ચે વધતી જતી ખાઈનો ખુલાસો થયો છે -
ઈરાન યુદ્ધ વૈશ્વિક ઉર્જા સંકટને વેગ આપે છે, સ્વચ્છ ટેકનોલોજીમાં ચીનની સ્થિતિ મજબૂત બનાવે છે -
સીમાંકન નહીં, મહિલા અનામત એ સાચો મુદ્દો છે: સોનિયા ગાંધી -
પીએમ મોદી આ શનિવારે પશ્ચિમ બંગાળમાં ત્રણ ચૂંટણી રેલીઓને સંબોધિત કરશે -
મહારાષ્ટ્રના હિંગોલી જિલ્લામાં 4.7 ની તીવ્રતાનો ભૂકંપ, કોઈ જાનહાનિના અહેવાલ નથી -
CSK vs DC: મેદાન પર અમ્પાયર સાથે બાખડ્યો નીતીશ રાણા! ચેપોકમાં મેચની વચ્ચે સર્જાયું જોરદાર હાઈ-વોલ્ટેજ ડ્રામા -
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
પેટ્રોલ-ડીઝલના ભાવ નિયંત્રિત કરવા સરકારે શું કરવું જોઈએ? -
તમિલનાડુ ફિલ્મ લીક: DMK, TVK અને BJP વચ્ચે રાજકીય વિવાદ -
હરિયાણા સરકારે MBBS બેઠકો અને હોસ્પિટલ બેડના 33% સ્થાનિક રહેવાસીઓ માટે અનામત રાખ્યા -
પલાનીસ્વામી: વિજયની સરખામણી એમજીઆર સાથે ન કરો -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા










Click it and Unblock the Notifications
