Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Gujarat Rajya Sabha Election: બીટીપીના ધારાસભ્યોએ છેલ્લી ઘડીએ ઠેંગો બતાવ્યો, કરી આ માંગ

Gujarat Rajya Sabha Election: બીટીપીના ધારાસભ્યોએ છેલ્લી ઘડીએ ઠેંગો બતાવ્યો, કરી આ માંગ

ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણી શરૂ થઇ ગઇ છે અને ભાજપ અને કોંગ્રેસના તમામ ધારાસભ્યોએ મતદાન કરી દીધું છે જ્યારે બીટીપી (Bhartiya Tribal Party)ના બે ધારાસભ્યોએ છેલ્લી ઘડીએ ઠેંગો દેખાડી દીધો છે. આ ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ બંને માટે બીટીપીના બંને ધારાસભ્યોના મત અતિ મહત્વના હતા. ત્યારે ભાજપ અને કોંગ્રેસ બંને જ છોટૂ વસાવા અને તેમના દીકરા મહેશ વસાવાને મનાવવાની કોશિશ કરી રહ્યા છે.

છેલ્લી ઘડીએ ઠેંગો બતાવ્યો

છેલ્લી ઘડીએ ઠેંગો બતાવ્યો

ત્યારે બીટીપીના બે ધારાસભ્યોએ કહ્યું કે જ્યાં સુધી આદિવાસીઓ, પ્રવાસીઓ અને દલિતોના કલ્યાણને લઇ તેમને લેખિતમાં આશ્વાસન આપવામાં નહિ આવે ત્યાં સુધી તેઓ મતદાન નહિ કરે. બીટીપીના પ્રમુખ છોટૂ વસાવા અને તેમના દીકરા મહેશ વાસાવાનો વોટ ભાજપ અને કોંગ્રેસ બંને માટે ઘણો મહત્વને છે.

લેખિતમાં આશ્વાસન માંગ્યું

લેખિતમાં આશ્વાસન માંગ્યું

મહેશ વસાવાએ પત્રકારોને કહ્યું કે, "જ્યાં સુધી લેખિતમાં આશ્વાસન નહિ મળે ત્યાં સુધી મતદાન નહિ કરીએ. અમે એક સ્વતંત્ર પાર્ટી છીએ જેણે ભાજપ અને કોંગ્રેસ બંનેથી દૂરી બનાવી રાખી છે." વધુમાં તેમણે કહ્યું કે સંવિદાનની પાંચમી અુસૂચી અને પીઈએસએ અધિનિયમ લાગૂ કરવાને લઇ લેખિતમાં આશ્વાસન મળવા સુધી મારા પિતા અને મેં મતદાન ના કરવાનો ફેસલો લીધો છે. અમારું મતદાન કરવું જરૂરી છે પરંતુ જે લોકોના અમે પ્રતિનિધિ છીએ એ લોકો અમારા માટે વધુ મહત્વના છે.

બંને પાર્ટી પર આરોપ લગાવ્યો

બંને પાર્ટી પર આરોપ લગાવ્યો

આરોપ લગાવતા કહ્યું કે બંને પાર્ટીઓએ પોતાના પ્રતિનિધિત્વમાં અનુસૂચિત જનજાતિ, અનુસૂચિત જાતિ, અન્ય પછાત વર્ગ, અલ્પસંખ્યક સમુદાય અને પ્રવાસી શ્રમિકોના કલ્યાણને લઇ કંઇ નથી કર્યું. છોટૂ વસાવાએ કહ્યું કે આશ્વાસન મળ્યા બાદ જ અમે મતદાન કરવા અંગે વિચારશું. ભાજપ અને કોંગ્રેસ બંનેને બીટીપી તરફથી વોટ મળશે તેવી ઉમ્મીદ છે.

ભાજપે મનાવવાની કોશિશ કરી

ભાજપે મનાવવાની કોશિશ કરી

ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું કે, તેમની ભાજપ સરકારે અનુસૂચિત જનજાતિઓના કલ્યાણ માટે કેટલાંય કામ કર્યાં છે. તેમણે કહ્યું કે નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી ગુજરાત સરકારે અનુસૂચિત જનજાતિ પર કેન્દ્રિત યજનાઓ પર કરોડો રૂપિયા ખર્ચ કર્યા છે. પીઈએસએ અધિનિયમ ગુજરાતમાં મારા શાસનમાં લાવવામાં આવ્યો. મને વિશ્વાસ છે કે બીટીપી ભાજપના પક્ષમાં મતદાન કરશે.

અમિત ચાવડાએ કહ્યું- બીટીવી અને કોંગ્રેસની વિચારધારા એકસમાન

અમિત ચાવડાએ કહ્યું- બીટીવી અને કોંગ્રેસની વિચારધારા એકસમાન

જ્યારે ગુજરાતમાં કોંગ્રેસ અધ્યક્ષ અમિત ચાવડાએ વિશ્વાસ જતાવ્યો કે બીટીપીના ધારાસભ્ય ચૂંટણીમાં તેમના પાર્ટીને સમર્થન આપશે. તેમણે કહ્યું કે કેન્દ્રની કોંગ્રેસ સરકાર જ હતી જેણે પીઈએસએ અધિનિયમને આગળ વધાર્યો. અમારા ધારાસભ્યોએ આ લાગૂ કરવા માટે ગુજરાત વિધાનસભાની અંદર અને બહાર લડાઇ લડી. કોંગ્રેસ અને બીટીપીની વિચારધારા એકસમાન છે અને અમને વિશ્વાસ છે કે અમને તેમનો વોટ મળશે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X