ગુજરાતની GSRTC બસની મુસાફરી બનશે સસ્તી : સૌરભ પટેલ
ગાંધીનગર, 2 જુલાઇ : ગુજરાતના નાગરિકોને રાહત આપતા એક પગલાંમાં ગુજરાત સરકારે ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન (GSRTC - જીએસઆરટીસી)માં પેસેન્જર ટેક્સ 10 ટકા જેટલો ઘટાડવાનો પ્રસ્તાવ મુક્યો છે. આમ કરવાથી જીએસઆરટીસી બસની મુસાફરી સસ્તી થવાની શક્યતા છે. જેના કારણે જીએસઆરટીસીમાં મુસાફરી કરતા લાખો લોકોને સીધો ફાયદો થવાની શક્યતા છે.
આ ઉપરાંત બીજા રાહતના સમાચાર આપતા રાજ્ય સરકારે જણાવ્યું છે કે ઘરેલુ વપરાશની એલપીજી પર કોઇ પણ પ્રકારનો ભાવ વધારો કરવામાં આવશે નહીં. જો કે ગુજરાતના નાણાપ્રધાન સૌરભ પટેલે 12 કે તેથી વધારે બેઠકવાળી સાદી કે લક્ઝરી બસ પર ટેક્સ વધારવાની વાત પણ બજેટમાં જણાવી હતી.

ગુજરાત વિધાનસભામાં 1 જુલાઇના રોજ અંદાજપત્ર 2014-15 રજૂ કરતા સમયે નાણાપ્રધાન સૌરભ પટેલે જણાવ્યું હતું કે રાજ્ય સરકાર પબ્લિક ટ્રાન્સપોર્ટને પ્રમોટ કરવા માટે વર્ષ 2014-15 દરમિયાન ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમની બસોમાં વર્તમાન પેસેન્જર ટેક્સ 17.5 છે તેમાં 10 ટકા છૂટ આપી 7.5 ટકા રાખવા માંગે છે. આ ફેરફાર અમલી બનાવવા માટે રાજ્ય સરકાર ગુજરાત મોટર વ્હીકલ ટેક્સ (પેસેન્જર ટેક્સ) એક્ટ, 1958માં સુધારો કરશે.
સૌરભ પટેલનું કહેવું છે કે જીએસઆરટીસીની બસોમાં પેસેન્જર ટેક્સ ઘટતાં બસના મુસાફરી ભાડામાં ઘટાડો થશે. જેના કારણે આ બસોમાં દૈનિક મુસાફરી કરતા અંદાજે 20 લાખ લોકોને તેનો લાભ મળશે. આ ઘટાડો કરવાથી રાજ્ય સરકારને વાર્ષિક ધોરણે રૂપિયા 150 કરોડનો ફટકો પડશે. જ્યારે ચાલુ નાણાકીય વર્ષમાં અંદાજે 100 કરોડનો ફટકો પડશે. જો કે ચાલુ નાણાકીય વર્ષથી 12 કે તેથી વધારે બેઠકો વાળી સાજી કે લક્ઝરી ટુરીસ્ટ બસમાં ટેક્સમાં વધારો કરવાથી સરકારને વર્ષ 2014-15માં રૂપિયા 40 કરોડની આવક થશે.
-
ગુજરાતમાં ફરી આફતનુ માવઠું, 28 થી 30 માર્ચ દરમિયાન કમોસમી વરસાદની આગાહી -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના











Click it and Unblock the Notifications
