Gujarat ST for Maha kumbh મહા કુંભ જવા ગુજરાતના આ શહેરોમાંથી મળશે વધુ 5 એસટી વોલ્વો બસ, જાણી લો ભાડુ
Maha kumbh 2025 : પ્રયાગરાજમાં યોજાઈ રહેલા મહા કુંભમાં કરોડો લોકો પહોંચી રહ્યાં છે. મહા કુંભ માટે ગુજરાતમાંથી પણ મોટી સંખ્યામાં લોકો જઈ રહ્યાં છે.
ગુજરાતથી મહા કુંભ જવા માટે ગુજરાત સરકાર દ્વારા વિશેષ એસટી બસો દોડાવવામાં આવી રહી છે. આ બસો ગુજરાતના વિવિધ શહેરોથી સીધા પ્રયાગરાજ પહોંચાડે છે.

હવે ગુજરાતીઓ માટે સારા સમાચાર એ છે કે ગુજરાત સરકારે મહા કુંભ જઈ રહેલી બસોમાં વધારો કરવાની જાહેરાત કરવામાં આવી છે. ગુજરાત એસટી વિવિધ શહેરોથી વધુ 5 એસટી વોલ્વો બસો દોડાવવા જઈએ રહ્યું છે.
જાણકારી અનુસાર, આ બસો 4 ફેબ્રુઆરીથી શરૂ થશે. આ વોલ્વો બસ અમદાવાથી વધુ 1, સુરતથી 2, વડોદરાથી 1 અને રાજકોટથી 1 બસ શરુ કરવામાં આવશે.
સુરત તથા રાજકોટથી નવી શરુ કરવામાં આવનાર બસને પ્રથમ અને ત્રીજી રાત્રીએ રહેવાની વ્યવસ્થા બારણ મુકામે કરવામા આવનાર છે.
અમદાવાદ અને વડોદરા ખાતેથી નવીન શરુ કરવામાં આવનાર બસોને પ્રથમ અને ત્રીજી રાત્રીએ રહેવાની વ્યવસ્થા શિવપુરી (MP) મુકામે કરવામા આવશે.
જણાવી દઈએ કે, ગુજરાત એસટી દ્વારા ગુજરાતના વિવિધ શહેરોથી પહેલા જ એસટી દ્વારા ઘણી બસો ચલાવવામાં આવી રહી છે. ગુજરાતના તમામ મોટા શહેરોમાંથી કુંભમાં જવા માટે એસટી બસની સુવિધા મળે છે.
આ તમામ બસોના મુસાફરોએ પ્રયાગરાજ ખાતે તેમના રોકાણની વ્યવસ્થા જાતે કરવાની રહેશે. અમદાવાદથી વ્યક્તિ દીઠ પેકેજ ચાર્જ 7800, સુરતથી 8300, વડોદરાથી 8,200 અને રાજકોટથી 8,800 રહેશે.












Click it and Unblock the Notifications
