ગુજરાત : અમરેલી પાસે શેત્રુંજી નદીમાં ટ્રક ખાબકી, 12નાં મોત
અમરેલી, 6 ડિસેમ્બર : ગુજરાતના અમરેલી જિલ્લાના ગવાડકા ગામ પાસેથી વહેતી શેત્રુંજી નદીના પુલ પાસેથી પસાર થઈ રહેલી આઈશર ટ્રક નદીના પટમાં પલ્ટી ખાઈ જતા અંદાજે તેમાં સવાર અંદાજે 12 લોકોના મૃત્યુ થયા હોવાના અહેવાલ મળી રહ્યા છે.

માનવામાં આવે છે કે ડ્રાઇવરે ટ્રક પરનો કાબૂ ગુમાવી દેતા આ ઘટના બની હતી. દુર્ઘટના અંગે જાણ થતા ગામવાસીઓ અને પોલીસ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. પ્રાપ્ત અહેવાલો પ્રમાણે ટ્રકમાં સવાર લોકો ઘર બદલીને સરસામાન સાથે જઈ રહ્યા હતા. મૃતકોમાં મહિલા અને બાળકોનો પણ સમાવેશ થાય છે.
ટ્રક પલટી ખાઈ છે એ સ્થળે ટ્રકમાં ભરેલો સામાન વેર વિખેર જોવા મળ્યો. દુર્ઘટનામાં કેટલાકને ગંભીર ઈજા થઈ હોવાના અહેવાલો છે. મોટા ભાગના લોકો સામાન્ય મજુર હોવાનું જાણવા મળે છે.
More From
-
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત -
અમદાવાદમાં ડ્રગ્સ સામે લાલ આંખ: ઘીકાંટા અને બોપલમાંથી 4 શખ્સો ઝડપાયા, ₹21 લાખનો મુદ્દામાલ જપ્ત





Click it and Unblock the Notifications
