ગુજરાતઃ ધર્મશાલાની દિવાલ પડવાથી પિતા-પુત્ર સહિત 3ના મોત, 2 ઘાયલ
ગુજરાતના ભાવનગર જિલ્લાના પાલિતાણામાં રવિવારે એક ધર્મશાલા (સરાય)ની દિવાલ પડી જતા કાટમાળ નીચે દબાઈને ત્રણ મજૂરોના મોત થઈ ગયા જ્યારે 2 અન્ય ઘાયલ થયા છે.
ગુજરાતના ભાવનગર જિલ્લાના પાલિતાણામાં રવિવારે એક ધર્મશાલા (સરાય)ની દિવાલ પડી જતા કાટમાળ નીચે દબાઈને ત્રણ મજૂરોના મોત થઈ ગયા જ્યારે 2 અન્ય ઘાયલ થયા છે. ઘટના સવારેલગભગ 9 વાગે થઈ જ્યારે પાંચ મજૂર એક જૂની ઈમારત પાડી રહ્યા હતા. અરિસા ભવન જૈન ધર્મશાલા તળેટી રોડ પર સ્થિત હતી. માહિતી અનુસાર આ દૂર્ઘટના રવિવારે સવારે થઈ. ધર્મશાલાની ઈમારત જૂની હોવાના કારણે તેને તોડવાનુ કાર્ય કરવામાં આવી રહ્યુ હતુ. આ દરમિયાન એક દિવાલ રવિવારે સવારે અચાનક ધરાશાયી થઈ ગઈ જેમાં પિતા-પુત્ર સહિત આઠ મજૂર દબાઈ ગયા હતા.

પોલિસે જણાવ્યુ કે અરિસા ભવન નામની જૂની ઈમારતને આજે સવારે પાડવામાં આવી રહી હતી. આ દરમિયાન ઈમારતની દિવાલ અચાનક ધરાશાયી થઈ જતા ત્યાં કામ કરી રહેલા પાંચ મજૂર દિવાલના કાટમાળ નીચે દબાઈને ઘાયલ થઈ ગયા. ઘાયલ અવસ્થામાં પાંચેને હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા. જ્યાં ઈલાદ દરમિયાન બે મજૂરોના મોત થઈ ગયા. મૃતકની ઓળખ ફારુક ડેરૈયા(55), તેમના પુત્ર તોસીફ(35) તરીકે થઈ. પોલિસે ઘટના સ્થળે પહોંચીને જરૂરી કાર્યવાહી શરૂ કરી દીધી છે.
જે ઈમારત પડી છે એ 100 વર્ષ જૂની હતી. જે સમયે ઈમારત પડી તે સમયે ત્યાં કામ કરી રહેલા 5 મજૂર તેની ચપેટમાં આવી ગયા. ઘટના બાદ આસપાસના લોકોએ બચાવ કાર્ય શરૂ કર્યુ અને કાટમાળમાં દબાયેલા બધા મજૂરોને બહાર કાઢ્યા. બે મજૂરોના ઘટના સ્થળે જ મોત થઈ ગયા જ્યારે ત્રીજાએ દમ તોડી દીધો.
-
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
અમદાવાદમાં ડ્રગ્સ સામે લાલ આંખ: ઘીકાંટા અને બોપલમાંથી 4 શખ્સો ઝડપાયા, ₹21 લાખનો મુદ્દામાલ જપ્ત -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત





Click it and Unblock the Notifications
