રાજકારણમાં જોડાશે કે નહી નરેશ પટેલ? વધુ એક તારીખ, ક્યારે જાહેર કરશે પોતાનો નિર્ણય?
ગુજરાતમાં ચૂંટણીનો માહોલ જોરશોરથી જામ્યો છે. તમામ પક્ષોના દિગ્ગજો રાજ્યની મુલાકાતે આવી રહ્યા છે. ત્યારે ખોડલધામના નરેશ પટેલ રાજકારણમાં જોડાશે કે નહીં તે હાલ સળગતો પ્રશ્ન બની ગયો છે. જોકે, નરેશ પટેલ રાજકારણમાં આવશે કે નહી
ગુજરાતમાં ચૂંટણીનો માહોલ જોરશોરથી જામ્યો છે. તમામ પક્ષોના દિગ્ગજો રાજ્યની મુલાકાતે આવી રહ્યા છે. ત્યારે ખોડલધામના નરેશ પટેલ રાજકારણમાં જોડાશે કે નહીં તે હાલ સળગતો પ્રશ્ન બની ગયો છે. જોકે, નરેશ પટેલ રાજકારણમાં આવશે કે નહીં તે જાણવા માટે વધુ એક મુદ્દત પડી છે. પહેલા કહેવામાં આવ્યું હતુ કે, નરેશ પટેલ 31મી મેની આસપાસ રાજકારણમાં જોડાશે કે નહીં તે અંગે ખુલાસો કરશે.

હવે મળતી માહિતી પ્રમાણે, હાલ સમાજના લોકો સાથે ચર્ચા વિચારણાની પ્રક્રિયા ચાલી રહી છે. નિર્ણય બાદમાં આ અંગેની જાહેરાત કરવામાં આવશે. આ જાહેરાત 15 જૂન સુધીમાં કરવામાં આવી શકે છે. ત્યારે ગુજરાતના રાજ્યસભા) સાંસદ રામ મોકરિયાએ પણ હવે ખોડલધામના નરેશ પટેલ અંગે મહત્ત્વનું નિવેદન આપ્યુ છે. તેમણે જણાવ્યુ છે કે, નરેશ ભાઈ એક સારા ઉદ્યોગપતિ અને સામાજિક આગેવાન છે, રાજકારણમાં આવવું ન જોઇએ.
સાંસદ રામ મોકરિયાએ નરેશ પટેલ અંગે જણાવ્યું છે કે, નરેશભાઇ સારા ઉદ્યોગપતિ અને સામાજિક આગેવાન છે. રાજકારણમાં આવવું ન આવવું તે તેમનો અંગત વિષય છે. તેઓ મારા મિત્ર છે. મારી દ્રષ્ટિએ તેઓએ ઉદ્યોગપતિ અને સામાજિક આગેવાન તરીકે તેમને કાર્ય યથાવત રાખવું જોઈએ. તેઓ સામાજીક કાર્યકર તરીકે ખૂબ સારું કામ કરે છે અને તેમને સમાજને જોડી રાખ્યો છે. બાકી તો તેમને જે પક્ષમાં જવું હોય તે પક્ષમાં જઇ શકે, તેઓ આ નિર્ણય લેવા સ્વતંત્ર છે. એમને કોઇ રોકી શકે નહીં.
ગોવિંદભાઈ પટેલે ખોડલધામના ચેરમેન નરેશ પટેલને રાજકારણમાં જોડાવાને લઈને બોલવાનું ટાળ્યું હતુ. મીડિયા સમક્ષ ગોવિંદ ભાઇને આ અંગેનો સવાલ પૂછતા તેમણે 'નો કોમેન્ટ' કહ્યુ હતુ. પાટીદાર નેતાએ કહ્યું હાલ આ બાબતે કાંઈ નહિ બોલું.
-
Gujarat News: ઉનાળામાં બાળકને લૂ લાગી શકે, શાળાઓ સવારની કરવા ઉઠી માંગ -
ગુજરાત સરકારે અમદાવાદ અને સુરત મેટ્રો માટે 34 ટ્રેનસેટ્સનો ઓર્ડર આપ્યો, જાણો શું છે ખાસિયત -
Gujarat Weather: અંબાલાલ પટેલની મોટી આગાહી, 18થી 25 માર્ચ સુધી ગુજરાતમાં કમોસમી વરસાદની શક્યતા -
ગુજરાતમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી, જાણો તમારા શહેરમાં કેવો રહેશે માહોલ -
Parliament Today: સંસદમાં વિપક્ષનો સરકાર પર LPG-CNG પ્રહાર, આજે ગૃહમાં કયા મુદ્દાઓ પર થશે ચર્ચા -
કચ્છના રણ વચ્ચેથી નીકળશે નવો હાઈવે, કેન્દ્ર સરકારની જાહેરાત -
ગુજરાતની 71 નગરપાલિકાઓમાં સરકારે વહીવટદારની નિમણૂક કરી -
ગુજરાતના 17 જિલ્લાઓમાં ગરમી પરસેવો પડાવશે, હવામાન વિભાગની મોટી આગાહી -
કિસાન સન્માન નિધિનો 22મોં હપ્તો ક્યારે આવશે? આવી ગઈ તારીખ -
ગરમીને લઈને હવામાન વિભાગની નવી આગાહી, આ જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ -
LPG અછતને લઈને ભારત સરકાર એક્શનમાં, જાણો શું કહ્યું? -
અમદાવાદમાં આકાર લેશે ભવ્ય 'સ્પોર્ટ્સ એન્ક્લેવ', ઓલિમ્પિક સ્તરની સુવિધાઓ માટે સરકારે ખોલી તિજોરી











Click it and Unblock the Notifications
