For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Good News : ચિનુ મોદીને સાહિત્ય અકાદમી પુરસ્કાર

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 4 જાન્યુઆરી : ગુજરાતના જાણીતા કવિ ચિનુ મોદીની તેમના કાવ્ય સંગ્રહ ખારા ઝરણ માટે વર્ષ 2013ના સાહિત્ય અકાદમી પુરસ્કાર માટે પસંદગી કરવામાં આવી છે. એક અધિકારીએ શનિવારે એક નિવેદનમાં આ માહિતી આપી.

chinumodi
મળતી માહિતી મુજબ પુરસ્કાર માટે ચિનુ મોદીના પુસ્તક ખારા ઝરણની પસંદગી ત્રણ સભ્યોના નિર્ણાયક મંડળે કરી હતી. અન્ય વિજેતાઓના નામોની જાહેરાત ડિસેમ્બર 2013માં જ કરી દેવાઈ હતી કે જેમાં જાવેદ અખ્તર, બાંગ્લા કવિ સુબોધ સરકાર તેમજ બોડો ભાષાના કવિ અનિલ બોરોનો સમાવેશ થાય છે.

નિવેદનમાં જણાવવામાં આવ્યું કે વિજેતાઓને સાહિત્ય અકાદમી દ્વારા આગામી માર્ચ માસમાં યોજાનાર સાહિત્યોત્સવમાં સન્માનિત કરવામાં આવશે. પુરસ્કાર હેઠળ વિજેતાઓને સ્મૃતિ ચિહ્ન, શૉલ તથા એક લાખ રુપિયા રોકડા આપી સન્માનિત કરવામાં આવે છે.

English summary
Gujarati poet Chinu Modi has been conferred the Sahitya Akademi Award for the year 2013 for his poetry book "Khara Zaran", an official statement said Saturday.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X