હાર્દિક કહ્યું ભાજપી નેતાઓએ BJPને બળાત્કારી પાર્ટી બનાવી છે
હાર્દિક પટેલ નલિયા રેપ કેસ પર શું પ્રતિક્રિયા આપી જાણો અહીં.
નલિયા દુષ્કર્મ કાંડ મામલે સોમવારે સાંજે કચ્છ આવેલા પાસ કન્વીનર હાર્દિક પટેલે ભાજપ સરકારને આડે હાથે લીધી હતી. તેણે કહ્યું હતું કે નલિયા કાંડના મૂળ શોધવા જઇએ તો ગાંધીનગર સુધી તેનો રસ્તો જશે. વધુમાં હાર્દિક પટેલે કહ્યું કે નલિયા સેક્સ કાંડથી ગુજરાતની અસ્મિતા પર સવાલ ઊભા થયા છે. તેણે જણાવ્યું કે ભાજપના નેતાઓએ ભારતીય જનતા પાર્ટીને બળાત્કારી જનતા પાર્ટી બનાવી દીધા છે.

नलियाँ( कच्छ )सेक्स कांड गुजरात की अस्मिता पर सवाल खड़े कर रहा हैं।
— Hardik Patel (@HardikPatel_) February 13, 2017
भाजपा के नेता ने भारतीय जनता पार्टी को बलात्कारी जनता पार्टी बनाया हैं। pic.twitter.com/Gb4nNxz0PV
એટલું જ નહીં નલિયા પહોંચીને તેને મુખ્યમંત્રી વિજય રૂપાણી સમેત વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર પણ ચોટદાર ટિપ્પણી કરી હતી. સોશ્યલ મીડિયા પર તેણે અનેક ટ્વિટ કરી હતી. નોંધનીય છે કે નાલિયા કાંડ દિવસેને દિવસે ભાજપ માટે રાજકીય દબાણ વધારી રહ્યો છે. ત્યારે હાર્દિક પટેલની મુલાકાત, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીનો વિરોધ, અલ્પેશ ઠાકોર જેવા ઓબીસી નેતાનો વિરોધ ભાજપના ગળા પર એક પછી એક ફંદા બની રહ્યા છે.
‘એક દિવસ જાગો હું પાંચ વર્ષ જાગીશ’ ‘તમારો ભાઈ ગાંધીનગરમાં બેઠો છે. આજે નલીયામાં પીડીત મહિલા માટે ભાઈ ક્યાં છે? #GujBJPNaliyaCase
— Hardik Patel (@HardikPatel_) February 12, 2017












Click it and Unblock the Notifications
