Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Heart Attacks In Gujarat: ગત બે દિવસમાં 20 લોકોના મોત, ગરબા રમતા સમયે આવ્યો હાર્ટ એટેક

Heart Attacks In Gujarat: રાજ્યમાં સતત હાર્ટ એટેકના કિસ્સા સતત સામે આવી રહ્યા છે. ચોંકાવનારી વાત એ છે કે, હાર્ટ એટેકના કારણે છેલ્લા 48 કલાક દરમિયાન 20 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેમાં દ્વારકા અને વડોદરામાં 3-3 મોત નોંધાયા છે. આ 20 યુવાનોમાંથી 4 યુવકોના મોત ગરબા રમતા રમતા થયા છે.

નવરાત્રીના પ્રથમ છ દિવસોમાં, 108 ઈમરજન્સી એમ્બ્યુલન્સ સેવાઓને હૃદયની સમસ્યાઓ માટે 521 કોલ અને શ્વાસની તકલીફ માટે વધારાના 609 કોલ મળ્યા હતા. આ કોલ્સ સાંજે 6 થી 2 કલાકની વચ્ચે નોંધાયા હતા, જ્યારે સામાન્ય રીતે ગરબાની ઉજવણી થતી હતી.

Heart Attacks

રાજ્ય સરકાર દ્વારા ગરબા સ્થળોની નજીકની તમામ સરકારી હોસ્પિટલો અને સામુદાયિક આરોગ્ય કેન્દ્રો (CHCs) ને ચેતવણી જાહેર કરવામાં આવી છે, અને તેમને ઉચ્ચ ચેતવણી પર રહેવા વિનંતી કરી છે.

કયા શહેરમાં કેટલા કેસ નોંધાયા

  • દ્વારકા-3
  • વડોદરા- 3
  • રાજકોટ- 2
  • જામનગર-2
  • ગોરાજી- 1
  • અમદાવાદ- 1
  • કપડવંજ- ૩
  • સુરત-2
  • નવસારી- ૩

3 લોકોના દ્વારકામાં અવસાન - દ્વારકામાં રવિવારના રોજ 2 અને સોમવારના રોજ 3 લોકો હાર્ટ એટેકના કારણે મૃત્યુ પામ્યા હતા. એક જ દિવસમાં દ્વારકા જિલ્લામાં હાર્ટ એટેકથી બે ખેડૂતોના મોત થયા છે અને ભીખ માગતા રાજકુમાર સોલંકી નામના 52 વર્ષના આધેડનું હાર્ટ એટેકથી મોત થયું છે.

જામ ખંભાળિયાના મોટા આંબાળા ગામના અમિતભાઈ સંઘાર નામના 31 વર્ષીય યુવકનું હૃદયરોગના હુમલાથી મૃત્યુ થયું છે, જ્યારે ખંભાળિયાના રામનગર વિસ્તારમાં રહેતા રાવજીભાઈ કણઝારિયા નામના 72 વર્ષના વૃદ્ધનું હૃદયરોગના હુમલાથી મૃત્યુ થયું છે.

બે ખેડૂતોને હાર્ટ એટેક આવ્યો - ગત 19મીએ દ્વારકામાં 2ના મોત થયા હતા. ખંભાળિયા જિલ્લામાં ખેતરમાં કામ કરતી વખતે લપસી પડતાં એક ખેડૂતનું મોત થયું હતું. જોકે, તેને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો, પરંતુ ડૉક્ટર્સે તેને મૃત જાહેર કર્યો હતો. દ્વારકાના ઠાકર શેરડી ગામે રહેતા પ્રેમજીભાઈ કણજારીયાના ખેડૂત પુત્રનું હૃદયરોગના હુમલાથી મૃત્યુ થયું છે. શક્તિનગર ગામે રામજીભાઈ નકુમનું પણ મૃત્યુ થયું હતું.

વડોદરામાં ત્રણના મોત થયા છે - વડોદરાના હરણી વિસ્તારના કલ્ચર એન્ક્લેવમાં રહેતા શંકરભાઈ રાણા નામના યુવક પોતાની જ સોસાયટીમાં આયોજિત નવરાત્રી મહોત્સવમાં છઠ નોરતે સોસાયટીના ખેલાડીઓ સાથે ગરબાની રમઝટ ગાતા હતા. ગરબા રમતી વખતે અચાનક તેને ચક્કર આવતાં તે નીચે પડી ગયો હતો. આ પછી તેમને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં ડૉક્ટર્સ શંકરભાઈને મૃત જાહેર કર્યા હતા.

વડોદરાના ડભોઈમાં 13 વર્ષના વૈભવનું હાર્ટ એટેકથી મોત થયું હતું. વૈભવ છેલ્લા બે દિવસથી ગરબા રમવા જતો હતો, ત્યારે અચાનક તેની તબિયત લથડી હતી. આ પછી પરિવાર તેને હોસ્પિટલ લઈ ગયો, પરંતુ ત્યાં પહોંચતા પહેલા જ તેનું મોત થઈ ગયું હતું. ડૉક્ટર્સ જણાવ્યું કે, તેમને હાર્ટ એટેક આવ્યો હતો.

વડોદરાના માંજલુપર વિસ્તારમાં રવિવારના રોજ જગદીશ પરમાર નામના 35 વર્ષીય રિક્ષાચાલકનું હૃદયરોગના હુમલાથી મૃત્યુ થયું હતું. રિક્ષા ચલાવતી વખતે તેમને હૃદયરોગનો હુમલો આવ્યો, ત્યારબાદ તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા, જ્યાં ડૉક્ટર્સ તેમને મૃત જાહેર કર્યા હતા.

રાજકોટમાં બે લોકોના મોત થયા - રાજકોટની પોપટપરા મધ્યવર્તી જેલમાં ફરજ પર હતા, ત્યારે હુમલો થતાં સવાઈસિંહ હાલાજી સોઢા નામના સૈનિકનું મૃત્યુ થયું હતું. તેઓ છેલ્લા કેટલાક સમયથી રાજકોટ જેલમાં ફરજ બજાવતા હતા, પરંતુ આજે સવારે અચાનક તેમનું અવસાન થયું હતું. રાજકોટમાં જયેશ ઝાલાવરીયા નામના યુવાનનું હાર્ટ એટેકથી મોત થયું છે.

સુરતમાં એકનું મોત થયું - સુરત જિલ્લાના પલસાણાની સર્વોદય સોસાયટીમાં પણ નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું હતું. અહીં રાહુલ રાઠોડ નામનો 26 વર્ષનો યુવક નવરાત્રી દરમિયાન ગરબા રમી રહ્યો હતો, ત્યારે અચાનક તે નીચે પડી ગયો, જે બાદ તેને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો અને ડૉક્ટર્સે તેને મૃત જાહેર કર્યો હતા. યુવકનું મોત હાર્ટ એટેકથી થયું હોવાની આશંકા છે. રાજકુમાર શાહનું રવિવારના રોજ સુરતના ઈચ્છાપુર વિસ્તારમાં હાર્ટ એટેકથી નિધન થયું હતું. રાત્રિભોજન કર્યા બાદ તેઓ હજીરાની એક કંપનીમાં કોલસો ભરવા ગયા હતા, ત્યારે તેમને હૃદયરોગનો હુમલો આવતા તેમનું મૃત્યુ થયું હતું.

જામનગરમાં બેના મોત થયા - જામનગરમાં પણ બે યુવાનોના હાર્ટ એટેકથી મોત થયા છે. આજે રામાપીરની કથા દરમિયાન 23 વર્ષના યુવકનું હૃદયરોગના હુમલાથી મોત થયું હતું. જામનગરમાં અન્ય એક બનાવમાં 24 વર્ષીય યુવકનું હાર્ટ એટેકથી મોત નીપજ્યું હતું. રવિ પરબતભાઈ લુણા નામના વ્યક્તિનું અચાનક હૃદયરોગના હુમલાથી મૃત્યુ થયું હતું.

ધોરાજીમાં પણ હાર્ટ એટેકથી મોત - ધોરાજી ખાતે ભાદર 2 ડેમનો ગેટ રિપેરિંગ કરતી વખતે અચાનક ધરાશાયી થતા મૂળ ઉત્તર પ્રદેશનો વતની આશુકુમાર દિનેશભાઈ સોનકર નામનો યુવાન હતો. જે બાદ યુવકને તાત્કાલિક ધોરાજી સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.

હાજર તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. સર્કલ પાસે વૃંદાવન પાર્ટી પ્લોટમાં ગરબા રમતી વખતે 28 વર્ષીય યુવકને છાતીમાં દુ:ખાવો થયો અને તે બેહોશ થઈ ગયો હતો. તેણે તરત જ 108ને ફોન કરીને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. જોકે, યુવકનું હાર્ટ એટેકથી મોત થયાનું જાણવા મળ્યું હતું.

કપડવંજમાં એકનું મોત થયું - આજે ખેડા જિલ્લાના કપડવંજ ખાતે છઠ નોરતે ગરબા રમી માં અંબાની આરાધના કરી રહ્યા હતા, ત્યારે 17 વર્ષના વીર શાહને અચાનક નાકમાંથી લોહી નીકળવા લાગ્યું હતું અને તેને અચાનક હાર્ટ એટેક આવ્યો હતો અને વીર શાહને તાત્કાલિક હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો, જ્યાં તબીબોએ વીરની સારવાર કરી હતી. જે બાદ ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતા. પરિવાર સહિત ગામમાં શોકનો માહોલ છવાયો હતો. રવિવારના રોજ મૃણાલ શુક્લા નામના યુવકને ગરબા રમ્યા બાદ છાતીમાં દુઃખાવો ઉપડ્યો હતો, જે બાદ તેને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. જ્યાં હાજર તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X