કોરોનાથી બચવા ગુજરાતની અડધી વસ્તીને અપાઈ આ હોમિયોપેથી દવા, આવ્યુ આ પરિણામ

ગુજરાત સરકાર રાજ્યના લોકોને કોરોના સંક્રમણથી બચવા અને તેમની રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે એક હોમિયોપેથી દવાનુ વિતરણ કરી રહી છે.

અમદાવાદઃ ગુજરાત સરકાર રાજ્યના લોકોને કોરોના સંક્રમણથી બચવા અને તેમની રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે એક હોમિયોપેથી દવાનુ વિતરણ કરી રહી છે. ન્યૂઝ એજન્સી પીટીઆઈના સમાચાર મુજબ ગુજરાતના આરોગ્ય વિભાગે રોગનિરોધક રૂપે હોમિયોપેથી દવા આર્સેનિકમ એલ્બમ-30 દવાનો માર્ચમાં કોવિડ-19ના પ્રકોપ બાદથી જ રાજ્યની અડધી વસ્તીમાં વિતરણ કરી છે. ગુજરાતે વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઈઝેશન(ડબ્લ્યુએચઓ) સામે રજૂ કરેલી રિપોર્ટમાં આ વિશે માહિતી આપી છે.

3.48 કરોડ લોકોને એલ્બમ-30 દવા આપવામાં આવી

3.48 કરોડ લોકોને એલ્બમ-30 દવા આપવામાં આવી

ગુજરાતના આરોગ્ય વિભાગે ડબ્લ્યુએચઓને જણાવ્યુ કે રાજ્યના આરોગ્ય વિભાગે 3.48 કરોડ લોકોને એલ્બમ-30 દવા આપી છે કે જે રાજ્યની કુલ જનસંખ્યા 6.6 કરોડના અડધાથી વધુ છે. આ રિપોર્ટમાં સ્પષ્ટ રીતે જણાવવામાં આવ્યુ છે કે એ વિશે કોઈ વૈજ્ઞાનિક પ્રમાણ નથી કે આ હોમિયોપેથી દવા કોરોના વાયરસ સામે લડવાનુ કામ કરે છે. જો કે રાજ્ય સરકારે એ દાવો જરૂર કર્યો કે આયુષનો લાભ ઉઠાવનાર 99.6 ટકા લોકો ક્વૉરંટાઈન સમયગાળા દરમિયાન આ દવાના ઉપયોગ બાદ સંક્રમણથી મુક્ત મળી આવ્યા.

મોટાભાગના લોકોને થયો ફાયદોઃ આરોગ્ય વિભાગ

મોટાભાગના લોકોને થયો ફાયદોઃ આરોગ્ય વિભાગ

આરોગ્ય વિભાગે કહ્યુ કે આયુષ (આયુર્વેદ, યોગ, નેચરોપેથી, સિદ્ધ અને યુનાની) લોકોની ઈમ્યુનિટી વધારવા માટે લાભકારી રહ્યુ છે અને આના કારણે આયુષ ટ્રીટમેન્ટનો પ્રોટોકૉલ બનાવવામાં આવ્યો. આ સાથે જ એક રિસર્ચ કરવામાં આવી રહ્યુ છે જેમાં ટ્રીટમેન્ટની ક્ષમતા વિશે જાણવામાં આવશે. ક્વૉરંટાઈન દરમિયાન 33,268 લોકોને આયુષ સારવાર આપવામાં આવી અને આમાં અડધાથી વધુ હોમિયોપેથી દવાઓ આપવામાં આવી હતી. આનાથી ફાયદો થયો છે.

99.69 ટકા લોકોનો કોરોના રિપોર્ટ નેગેટીવ આવ્યો

99.69 ટકા લોકોનો કોરોના રિપોર્ટ નેગેટીવ આવ્યો

ગુજરાતના મુખ્ય સચિવ(આરોગ્ય) જયંતિ રવિએ રવિવારે કહ્યુ કે સરકારે આર્સેનિકમ એલ્બમ-30 દવાની ક્ષમતા વિશે વિશ્વાસ હતો કારણકે જે હજારો લોકોને આર્સેનિકમ એલ્બમ-30નો ડોઝ આપવામાં આવ્યો તેમાંથી 99.69 ટકા લોકોનો કોરોના રિપોર્ટ નેગેટીવ આવ્યો છે. જે 0.3 ટકા લોકોનો રિપોર્ટ પૉઝિટીવ આવ્યો તેમાં પણ કોરોનાના લક્ષણ ઘણા ઓછા હતા. પરંતુ આ દવા વિશે હજુ વધુ એનાલિસિસ કરવુ જરૂરી છે.

દવા પર હજુ સંશોધન ચાલુ છે

દવા પર હજુ સંશોધન ચાલુ છે

રાજ્યના આયુષ વિભાગના નિર્દેશક ભાવના પટેલના જણાવ્યા અનુસાર ભાવનગરના એક ખાનગી ક્લિનિકમાં પ્રોફિલેક્સિસ તરીકે ચાલી રહેલા એલ્બમ-30ની ક્લિનિકલ ટ્રાયલનુ હજુ સુધી કોઈ સ્પષ્ટ પરિણામ નથી દેખાયુ. પટેલે કહ્યુ કે હોમિયોપેથી ડૉક્ટરો સહિત એક વિશેષજ્ઞ સમિતિની ભલામણ પર હોમિયોપેથી દવા માર્ચથી વિતરિત કરવામાં આવી છે અને રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા એક મહિના પહેલા આનો ઉપયોગ કરનાર લોકો માટે તેને પુનરાવર્તિત કરવાનો આદેશ પણ આપવામાં આવ્યો. આર્સેનિકમ એલ્બમ-30 રોગપ્રતિકારક ક્ષમતાને વધારે છે પરંતુ હજુ સુધી આના પર અમારુ સંશોધન પૂરુ થયુ નથી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X