ગુજરાતમાં ભ્રષ્ટાચારીઓએ PM મોદીની શૌચાલય યોજનાને પણ ન છોડી

ગુજરાતમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીની મહત્ત્વાકાંક્ષી શૌચાલય યોજના સાથે સંકળાયેલો ગોટાળો સામે આવ્યો છે.

ગુજરાતમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીની મહત્ત્વાકાંક્ષી શૌચાલય યોજના સાથે સંકળાયેલો ગોટાળો સામે આવ્યો છે. જિલ્લા ગ્રામીણ વિકાસ એજન્સીના કાર્યકર્તાઓએ આ પ્રોજેક્ટની કામગીરી કરી રહેલા એક કોન્ટ્રાક્ટરએ બિલ માંગ્યું તો તેની પાસેથી લાંચ માંગી હતી. ત્યારબાદ કોન્ટ્રાક્ટરએ એસીબીમાં ફરિયાદ કરી. ફરિયાદ મળવા પર એસીબીની ટીમએ બે આરોપીઓને રંગે હાથ પકડ્યા.

Gujarat

માહિતી અનુસાર, ફરિયાદીએ સ્વચ્છ ભારત મિશન યોજના હેઠળ મેંદરડાના માલણકા અને દેડકીયાલી ગામમાં ચાર શૌચાલય બનાવ્યા હતા. તેઓ આ કામ માટે 7.70 લાખનું બિલ પાસ કરાવવા માટે તેઓ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી ગયા હતા. ત્યાં કરાર પર નોકરી કરનારા કોઓર્ડિનેટર ધર્મેન્દ્ર કાનાભાઈ અને તકનીકી સહાયક અજય જેઠવાએ તેમના બિલને પસાર કરવા માટે 5 ટકા લાંચ માંગી હતી. પાછળથી આ સોદો રાઉન્ડ ફિગર 35 હજારમાં નક્કી કરવામાં આવ્યો હતો.

આ પણ વાંચો: રાજકોટના RTI કાર્યકર્તા બાદ તેના દીકરાની પણ હત્યા

જો કે, ફરિયાદીએ તેની નોકરી સંપૂર્ણ જવાબદારી સાથે કરી હતી અને તે કોઈ પ્રકારની લાંચ આપવા માંગતો નહોતો. આવામાં, તેણે એસીબીને આ બાબતની જાણ કરી. જેના કારણે એસીબી દ્વારા એક ટ્રેપ રાખવામાં આવ્યું. જેમાં ધર્મેન્દ્ર માટે લાંચ લેતા અજય જેઠવા રંગે હાથ પકડાયો હતો. એસીબી પીઆઈ ડી.ડી. ચાવડા દ્વારા ભ્રષ્ટાચાર નિવારણ હેઠળ ગુનો નોંધી કાનૂની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી.

આ પણ વાંચો: સુરત અગ્નિકાંડની રિપોર્ટ સામે આવી, જાણો કેવી રીતે લાગી આગ

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X