In Pics : ગુજરાતના સુપ્રસિદ્ધ તરણેતરના મેળાનો આજથી પ્રારંભ
થાન, 28 ઓગસ્ટ : ગુજરાતમાં આજથી સુપ્રસિદ્ધ તરણેતરના મેળાનો આરંભ થયો છે. તરણેતરનો મેળો રબારી સહિતની જાતિઓની ઓળખ સમાન રંગબેરંગી ભરતકામવાળી છત્રીઓ અને પરંપરાગત પરિધાનમાં સજ્જ યુવક-યુવતીઓને કારણે જાણીતો છે.
સુરેન્દ્રનગર જિલ્લામાં થાનગઢ નજીક ત્રિનેત્રેશ્વર મહાદેવના મંદિરના સાંનિધ્યમાં દર વર્ષની માફક આજથી પરંપરાગત લોકમેળાનો આરંભ થઈ ચૂક્યો છે. આ મેળામાં ભરવાડ રબારી અને મેર સમાજના લોકો સમગ્ર કાઠિયાવાડમાંથી મોટી સંખ્યામાં ઉમટી પડશે.
સૌરાષ્ટ્રમાં લોકમેળાની ભાતીગળ સંસ્કૃતિમાં ત્રિનેત્રેશ્વર મહાદેવના મંદિરમાં દર વર્ષે યોજાતો લોકમેળો દાયકાઓથી લોકજીવનમાં ધબકતો રહ્યો છે. અહી લોકમેળાની સાથે ત્રણ દિવસનો ગ્રામીણ ઓલ્મ્પિક રમતોત્સવ પણ યોજવામાં આવે છે. જેમાં લાંબી દોડ, કુદ, કબડ્ડી, લંગડી, રસ્સાખેંચ, કુસ્તી, ખાંડના લાડવા ખાવાની સ્પર્ધા માટલો દોડ જેવી રમતો પણ યોજાય છે.
આ મેળામાં 29નાં દેશ વિદેશના પર્યટકો કાઠિયાવાડની સંસ્કૃતિને મનભરીને માણી શકે તે માટે સાંસ્કૃતિક કાર્યક્રમો યોજવામાં આવ્યા છે. જેમાં કચ્છની મેર રાસ મંડળી, જળગોપાલ રાસ, મંડળી, પઢાર રાસ મંડળી, કનૈયા માલધારી રાસમંડળી, અને બનેવી રાસ મંડળી રાસ રજૂ કરશે. જયારે મયુરદાન ગઢવી હાસ્યરસનું પાન કરાવશે. આ લોકમેળાને આજે સવારે 9 વાગ્યે ખુલ્લો મુકવામાં આવ્યો હતો.
પ્રવાસન વિભાગ દ્વારા અહી વિદેશી પર્યટકો માટે તંબુ વસાહત ઉભી કરવામાં આવી છે જેમાં જુદા જુદા દેશોના પ્રતિનિધિઓ મેળાના મહેમાન બનશે. ત્રિનેત્રેશ્વર મહાદેવનું પૌરાણિક મંદિર એ આ વિસ્તારમાં શ્રધ્ધાનુ મોટુ સ્થાનક ગણાય છે. આ લોકમેળામાં જવા માટે રાજકોટ ડિવિઝન હેઠળના સુરેન્દ્રનગર, ચોટીલા, થાન, હળવદતી તરણેતર જવા માટે 230 એસટી બસો ખાસ દોડાવવામાં આવી રહી છે.

1
થાનગઢમાં આવેલું ત્રિનેત્રેશ્વર મહાદેવનું મંદિર

2
ત્રિનેત્રેશ્વર મહાદેવના દર્શન માટેની ભક્તોની લાંબી લાઇન લાગી હતી.

3
ગ્રામ્ય વિસ્તારોમાંથી આવતા લોકો પરંપરાગત વેશભૂષામાં સજીને આવ્યા હતા.

4
મેળાના પ્રથમ દિવસે વિવિધ રંગારંગ કાર્યક્રમો યોજાયા હતા જેની મજા માણવા ભીડ જામી હતી.

5
લોકોએ મોટ્ટા ચક્કરની મજા માણી હતી.

6
તરણેતરના મેળાની ઝલક
-
Women Reservation Amendment Bill: નારી શક્તિ વંદન અધિનિયમ લોકસભામાં બોલશે પીએમ મોદી, 33% અનામત પર થશે ચર્ચા -
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
Samay Raina Caste: સ્ટેન્ડ-અપ કૉમેડિયન સમય રૈનાના જાતિ-ધર્મ શું છે? ખુદને 'મૃતદેહ' જેવો કેમ કહ્યો? -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
લોકસભા સીટ 850 કરવાનો પ્લાનઃ પરિસીમન શું છે? North Vs South વિવાદ વકર્યો, વિપક્ષ કેમ વિરોધ કરે છે- Explain -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
Putin India Visit: એક વર્ષમાં બીજીવાર ભારત આવી રહ્યા છે પુતિન, પશ્ચિમી દેશોની ઉંઘ ઉડી -
Weather Update: આસામ-બંગાળ સહિત 13 રાજ્યોમાં આંધી-તોફાનની આગાહી -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત -
અમદાવાદમાં ડ્રગ્સ સામે લાલ આંખ: ઘીકાંટા અને બોપલમાંથી 4 શખ્સો ઝડપાયા, ₹21 લાખનો મુદ્દામાલ જપ્ત



Click it and Unblock the Notifications
