વિકાસ વોટબેંકનું રાજકારણ ખતમ કરી દેશે: નરેન્દ્ર મોદી
ગાંધીનગર, 4 એપ્રિલ: રાજકિય 'રંગભૂમિ' જીતવા માટે વિકાસના દાવ અજમાવનાર ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી આજકાલ એકદમ ઉત્સાહિત જોવા મળે છે. હવે નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે જો યોગ્ય રીતે વિકાસ થાય તો દેશમાં વોટબેંકનું રાજકરણ ખતમ થઇ શકે છે.
નરેન્દ્ર મોદીએ દેશમાં સમગ્ર વિકાસ પર જોર નાખતાં વોટોનું રાજકારણ ખતમ કરવાની વાત કહી હતી. તેમને વિભિન્ન અલ્પસંખ્યક સમુદાયોના પ્રતિનિધીઓ સાથેની વાતચીત દરમિયાન આ વાત કહી હતી.
નરેન્દ મોદીએ અલ્પસંખ્યક સમુદાયોના પ્રતિનિધિઓ સાથે મુલાકાત કરી હતી અને તેમને ગુજરાતમાં હેડ્રિક ફટકારવા બદલ નરેન્દ્ર મોદીને શુભેચ્છા પાઠવી હતી. આ મુલાકાત દરમિયાન કહ્યું હતું કે જાતિ અને સમુદાયથી ઉપર સમાજના બધા લોકો વિકાસ સાથે સંકળાયેલા છે.

ભાજપ અધ્યક્ષ રાજનાથ સિંહની ટીમમાં સ્થાન મેળવ્યા બાદ નરેન્દ્ર મોદીના ઇચ્છાઓ વધતી જાય છે. રાજકીય પંડિતોનું માનવું છે કે ભાજપ મોડા-વહેલાં નરેન્દ્ર મોદીને લોકસભાની ચુંટણીમાં વડાપ્રધાન પદના ઉમેદવાર તરીકે આગળ કરશે. એવા સમયે જરૂરી છે કે અપનાવેલા વિકાસના મંત્રનો જાપ કરવાનો અને દેશની જટિલ સમસ્યા પર ટીકા-ટિપ્પણી જરૂર કરે.
અત્રે ઉલ્લેખનીય છે કે 2014ની લોકસભાની ચુંટણીને ધ્યાનમાં રાખતાં ભારતીય જનતા પાર્ટીની નવી ટીમનું એલાન થઇ ગયું છે. વડાપ્રધાન પદ માટે પાર્ટીના પ્રબળ દાવેદાર માનવામાં આવતાં નરેન્દ્ર મોદીની 6 વર્ષ બાદ પાર્ટીના સંસદીય બોર્ડ સમિતિમાં પુનરાગમન થયું છે, જો કે દેશની સમસ્યાઓને જોતાં નમો મંત્ર કેટલો સફળ નિવડે છે તે તો આગામી સમય બતાવશે.
પળેપળના સમાચારથી અપડેટ રહેવા માટે આજે જ ગુજરાતી વનઇન્ડિયા ન્યૂઝલેટર સબસ્ક્રાઇબ કરો...












Click it and Unblock the Notifications
