રાજ્યમાં સતત ત્રીજા દિવસ કોરોનાના એક્ટિવ કેસમાં વધારો
રાજ્યમાં કોરોના સંક્રમણમાં વધારો થઇ રહ્યો છે. દૈનિક કેસમાં સતત ત્રીજા દિવસે વધારો નોંધાયો છે. જેણે શનિવારના રોજ 25 નવા કેસ નોંધાયા હતા. આ સાથે 18 ડિસ્ચાર્જ સાથે રાજ્યમાં સાત એક્ટિવ કેસનો વધારો થયો છે.
રાજ્યમાં કોરોના સંક્રમણમાં વધારો થઇ રહ્યો છે. દૈનિક કેસમાં સતત ત્રીજા દિવસે વધારો નોંધાયો છે. જેણે શનિવારના રોજ 25 નવા કેસ નોંધાયા હતા. આ સાથે 18 ડિસ્ચાર્જ સાથે રાજ્યમાં સાત એક્ટિવ કેસનો વધારો થયો છે. હાલ રાજ્યમાં કુલ 185 એક્ટિવ કેસ છે.

ક્યા કેટલા કેસ નોંધાયા
અમદાવાદ, રાજકોટ અને વડોદરાના શહેરી વિસ્તારમાં 4-4 પોઝિટિવ કેસ નોંધાયા છે, ત્યારબાદ અમદાવાદ અને પોરબંદર જિલ્લામાં 3 કેસ નોંધાયા છે. સુરત જિલ્લામાં 2 જ્યારે અરવલ્લી, ગીર સોમનાથ જિલ્લાઓ સાથે ગાંધીનગર, જામનગર અને સુરત શહેરી વિસ્તારમાં 1-1 કેસ નોંધાય છે.
અરવલ્લી જીલ્લો કોરોનામુક્ત જીલ્લાની યાદીમાંથી બહાર
દૈનિક કેસમાં શહેરોનો હિસ્સો 60 ટકા છે. એક કેસ નોંધાતા અરવલ્લી જીલ્લો કોરોનામુક્ત જીલ્લાની યાદીમાંથી બહાર નિકળી ગયો છે.

રાજ્યમાં કુલ 3 કરોડથી વધુ લોકોને પ્રથમ ડોઝ આપવામાં આવ્યો
છેલ્લા 24 કલાકમાં કોરોના વિરોધી રસીઓના 5.18 લાખ પ્રથમ ડોઝ સાથે રાજ્યમાં કુલ 3 કરોડથી વધુ લોકોને પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે. જેનો અર્થ એ કે રાજ્યમાં કુલ 61 ટકા રસી પાત્ર લોકોએ કોરોના વિરોધી રસીનો ઓછામાં ઓછો એક ડોઝ લીધો છે.












Click it and Unblock the Notifications
