India-EU FTA 2026 : ભારત-એયુ વચ્ચે ડીલ, આ વસ્તુઓ સસ્તી થશે
ભારત યુરોપિયન યુનિયન (EU) સાથેના પ્રસ્તાવિત મુક્ત વેપાર કરાર (FTA) હેઠળ યુરોપથી આયાત થતી કાર પરની આયાત જકાત ઘટાડવાની યોજના ધરાવે છે. રોઇટર્સના અહેવાલ મુજબ, સરકાર આ અંગે ટૂંક સમયમાં સત્તાવાર જાહેરાત કરી શકે છે. આ પગલું ભારતમાં લક્ઝરી કાર સેગમેન્ટને વિસ્તૃત કરશે અને બંને ક્ષેત્રો વચ્ચે વેપાર સંબંધોને મજબૂત બનાવશે.

રોઇટર્સના અહેવાલ મુજબ, ભારત સરકારે યુરોપિયન યુનિયનથી આવતી €15,000 (લગભગ ₹1,59,617) થી વધુ કિંમતની મર્યાદિત સંખ્યાની કાર પરની આયાત જકાત ઘટાડવા માટે સંમતિ આપી છે. હાલમાં લાગુ 110% સુધીનો ઉંચો ટેરિફ પહેલા 40% અને ત્યારબાદ 10% સુધી ઘટાડવામાં આવશે. આ ફેરફાર વોક્સવેગન, મર્સિડીઝ-બેન્ઝ અને BMW જેવી યુરોપિયન બ્રાન્ડ્સને ભારતમાં પોતાનું વિસ્તરણ કરવાની તકો પ્રદાન કરશે.
BMW ગ્રુપ ઇન્ડિયાના અધ્યક્ષ અને સીઇઓ હરદીપ સિંહ બ્રારે પીટીઆઈને જણાવ્યું હતું કે, FTA દ્વારા આયાતી કાર પરના સીમા શુલ્કમાં કાપ ભારતના લક્ઝરી કાર સેગમેન્ટના વિકાસને વેગ આપશે. તેમણે કહ્યું કે, "લક્ઝરી વાહનો ભારતના કુલ પેસેન્જર વાહન બજારનો માત્ર 1% હિસ્સો ધરાવે છે, તેથી મોટા પાયે સ્થાનિક ખેલાડીઓ પર કોઈ અસર નહીં થાય, પરંતુ ગ્રાહકોને ચોક્કસપણે ફાયદો થશે." તેમણે આને ભારત-EU માટે 'વિન-વિન' સ્થિતિ ગણાવી.
વર્ષોની વાટાઘાટો બાદ, ભારત-યુરોપિયન યુનિયન વેપાર કરાર હવે અંતિમ તબક્કામાં છે. બંને પક્ષો તેને દ્વિપક્ષીય વેપારને મજબૂત કરનાર ઐતિહાસિક સમજૂતી માને છે. આ કરાર ભારતના નિકાસ ક્ષેત્ર, ખાસ કરીને કાપડ અને ઘરેણાંને પણ પ્રોત્સાહન મળશે, જે ઓગસ્ટથી લાગુ અમેરિકી ટેરિફનો સામનો કરી રહ્યા છે.
ભારતનો ઓટો બજાર વિશ્વના સૌથી સંરક્ષિત બજારોમાં ગણાય છે, જ્યાં આયાતી કાર પર 70% થી 110% સુધીનો મોટો ટેરિફ લાગે છે. અમેરિકા અને ચીન પછી ભારત ત્રીજું સૌથી મોટું કાર બજાર હોવા છતાં, વિદેશી ઉત્પાદકો આ ઊંચા દરોને પ્રવેશ અને રોકાણ માટે અવરોધ રૂપ માને છે.
રોઇટર્સના અહેવાલ મુજબ, ભારતે યુરોપિયન યુનિયનને પ્રસ્તાવ આપ્યો છે કે FTA હેઠળ વાર્ષિક 2 લાખ (200,000) આંતરિક કમ્બશન એન્જિન (ICE) વાહનો પર 40% સુધી આયાત જકાત ઘટાડવામાં આવશે. જોકે, આ ક્વોટાની અંતિમ સંખ્યા પર હજુ વાટાઘાટો ચાલુ છે અને તેમાં ફેરફાર શક્ય છે.
પ્રથમ પાંચ વર્ષ માટે બેટરી-ઇલેક્ટ્રિક વાહનો (EVs) આ ટેરિફ ઘટાડવાના દાયરામાં સામેલ થશે નહીં. સરકારનો ઉદ્દેશ્ય તાતા મોટર્સ અને મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા જેવા સ્થાનિક EV ઉત્પાદકોના પ્રારંભિક રોકાણને સુરક્ષિત કરવાનો છે, જ્યાં સુધી ભારતમાં મજબૂત સ્થાનિક EV ઇકોસિસ્ટમ વિકસિત ન થાય. પાંચ વર્ષ પછી EVs પર પણ સમાન શુલ્ક માળખું લાગુ પડશે.
હાલમાં, ભારતમાં વાર્ષિક આશરે 44 લાખ (4.4 મિલિયન) કાર વેચાય છે, જેમાં યુરોપિયન બ્રાન્ડ્સનો હિસ્સો 4% થી પણ ઓછો છે. સુઝુકી મોટર, તાતા મોટર્સ અને મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ભારતીય કાર બજાર પર પ્રભુત્વ ધરાવે છે, જેઓની કુલ બજાર હિસ્સેદારી આશરે બે તૃતીયાંશ છે.












Click it and Unblock the Notifications
