Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

30 ડિસેમ્બરે ચોટીલા મંદિર દર્શનાર્થીઓ માટે બંધ રહેશે, જાણો કેમ?

ચોટીલા ચામુંડા માતાજીના મંદિરના સવારના દર્શનના સમયમાં ૩૦ ડિસેમ્બરના રોજ ફેરફાર કરવામાં આવ્યો છે. ચામુંડા ડુંગર પર પર્વતારોહણ-અવરોહણ સ્પર્ધાનું આયોજન થવાને કારણે આ દિવસે સવારે ૬ વાગ્યાથી ૧૦ વાગ્યા સુધી દર્શનાર્થીઓ માટે મંદિરમાં પ્રવેશ બંધ રહેશે.

સવારે ૧૦ વાગ્યા પછી ભક્તો રાબેતા મુજબ માતાજીના દર્શન કરી શકશે. આ સ્પર્ધામાં ૧૪ થી ૧૮ વર્ષના કુલ ૩૭૧ સ્પર્ધકોએ ભાગ લેવા નોંધણી કરાવી છે, જેમાં ૨૫૩ યુવકો અને ૧૧૮ યુવતીઓનો સમાવેશ થાય છે.

આ વર્ષે સ્પર્ધાના ઇનામી માળખામાં મહત્વપૂર્ણ ફેરફાર કરાયો છે. અગાઉ ૧ થી ૧૦ ક્રમાંક મેળવનાર વિજેતાઓને રોકડ ઇનામ મળતા હતા, જ્યારે હવે ભાઈઓ અને બહેનોમાં ૧ થી ૨૫ નંબર પર આવનાર સ્પર્ધકોને રોકડ પુરસ્કાર અને શીલ્ડથી સન્માનિત કરાશે. જેના કારણે ઇનામી રકમમાં વધારો થશે.

આ ઉપરાંત, ચોટીલા પર્વતારોહણ સ્પર્ધાના પ્રથમ ૧૦ વિજેતાઓને આગામી સમયમાં જૂનાગઢ ખાતે યોજાનારી જાણીતી આરોહણ-અવરોહણ સ્પર્ધામાં સીધી એન્ટ્રી મળશે, જે યુવા સ્પર્ધકો માટે એક મોટી તક પૂરી પાડશે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X