30 ડિસેમ્બરે ચોટીલા મંદિર દર્શનાર્થીઓ માટે બંધ રહેશે, જાણો કેમ?
ચોટીલા ચામુંડા માતાજીના મંદિરના સવારના દર્શનના સમયમાં ૩૦ ડિસેમ્બરના રોજ ફેરફાર કરવામાં આવ્યો છે. ચામુંડા ડુંગર પર પર્વતારોહણ-અવરોહણ સ્પર્ધાનું આયોજન થવાને કારણે આ દિવસે સવારે ૬ વાગ્યાથી ૧૦ વાગ્યા સુધી દર્શનાર્થીઓ માટે મંદિરમાં પ્રવેશ બંધ રહેશે.

સવારે ૧૦ વાગ્યા પછી ભક્તો રાબેતા મુજબ માતાજીના દર્શન કરી શકશે. આ સ્પર્ધામાં ૧૪ થી ૧૮ વર્ષના કુલ ૩૭૧ સ્પર્ધકોએ ભાગ લેવા નોંધણી કરાવી છે, જેમાં ૨૫૩ યુવકો અને ૧૧૮ યુવતીઓનો સમાવેશ થાય છે.
આ વર્ષે સ્પર્ધાના ઇનામી માળખામાં મહત્વપૂર્ણ ફેરફાર કરાયો છે. અગાઉ ૧ થી ૧૦ ક્રમાંક મેળવનાર વિજેતાઓને રોકડ ઇનામ મળતા હતા, જ્યારે હવે ભાઈઓ અને બહેનોમાં ૧ થી ૨૫ નંબર પર આવનાર સ્પર્ધકોને રોકડ પુરસ્કાર અને શીલ્ડથી સન્માનિત કરાશે. જેના કારણે ઇનામી રકમમાં વધારો થશે.
આ ઉપરાંત, ચોટીલા પર્વતારોહણ સ્પર્ધાના પ્રથમ ૧૦ વિજેતાઓને આગામી સમયમાં જૂનાગઢ ખાતે યોજાનારી જાણીતી આરોહણ-અવરોહણ સ્પર્ધામાં સીધી એન્ટ્રી મળશે, જે યુવા સ્પર્ધકો માટે એક મોટી તક પૂરી પાડશે.












Click it and Unblock the Notifications
