ફરી વિવાદોમાં ફસાયું ઈસ્કૉન મંદિર, ધર્મના નામે બ્રેઈન વૉશ કરતા હોવાનો આરોપ લાગ્યો
ફરી વિવાદોમાં ફસાયું ઈસ્કૉન, બ્રેઈન વૉશ કરવાનો આરોપ લાગ્યો
અમદાવાદઃ અમદાવાદના ભાડજમાં હરે કષ્ણા મંદિર ફરી એકવાર વિવાદોમાં ફસાયું છે. મંદિર પર ધર્મ અને આધ્યાત્મિકતાના નામે યુવાનોનું બ્રેઈન વૉશ કરવાનો આરોપ લાગ્યો છે. ઝારખંડના રહવાસી પ્રશાંત સિંધના પરિજનોએ આરોપ લાવ્યો છે કે એમના દીકરાનું બ્રેઈન વૉશ કરી તેને લોકોથી દૂર કરી દેવામાં આવ્યો છે. પ્રશાંતની બહેન પ્રીતિએ આરોપ લગાવ્યો છે કે સંતોએ એનું બ્રેઈન વૉશ કરવાની કોશિશ પણ કરી હતી પરંતુ તે સંતોની વાતોમાં ન આવી જો કે એના ભાઈ પ્રશાંતે સંતોની વાતોમાં આવી સંસાર છોડી મંદિરમાં રહેવા માટે ચાલ્યો ગયો છે.

ઉલ્લેખનીય છે કે હેર કૃષ્ણ મંદિર અક્ષયપાત્રા માટે ઓળખીતું છે. આ ઈસ્કૉન મંદિર ટ્રસ્ટ દ્વારા જ ચલાવવામાં આવે છે. પ્રીતિએ સોશિયલ મીડિયાના માધ્યમથી વીડિયો લોકો સુધી પહોંચાડીને પોતાના ભાઈને પરત લાવવા માટે અપીલ કરી છે. પ્રશાંતની ઉંમર 27 વર્ષની છે પરિવારનું કહેવું છે કે પ્રશાંતને કૉલેજના અભ્યાસ દરમિયાનથી જ મંદિરમાં બોલાવતા થઈ ગયા અને તેનું બ્રેઈન વૉશ કરવાનું શરૂ કરી દીધું. પ્રશાંતની બહેન પ્રીતિએ આરોપ લગાવ્યો છે કે પરિવારના લોકો જ્યારે મંદિરે જતા, પ્રશાંતને એકલા મળવા દેવામાં ન આવતો. એટલું જ નહિ, કોઈપણ તહેવાર પર એને ઘરે પણ નથી આવવા દેવાતો.
બીજી બાજુ આ મામલે પ્રશાંતે તેનું બ્રેઈન વૉશ કરવાની વાતને ખોટી ઠેરવી. પ્રશાંતે કહ્યું, 'મારા પરિજનો ખુશ નહોતા પરંતુ તેઓ માની ગયા હતા. હવે ચાર વર્ષ બાદ ફરી સવાલો કેમ ઉઠાવવામાં આવી રહ્યા છે, હું સમજી નથી શકતો.' ઉલ્લેખનીય છે કે પાછલા એક મહિનામાં ધર્મેશ, દિશાંત અને હવે પ્રશાંતના પરિજનોએ ઈસ્કૉનથી પોતાના દીકરાને પરત લાવવા માટે અપીલ કરી છે.
આ પણ વાંચો- લાલુ પ્રસાદ યાદવની મુશ્કેલી વધી, આવકવેરા વિભાગ 12 કરોડની સંપત્તિ જપ્ત કરશે












Click it and Unblock the Notifications
