ઇશરત કેસ : IPS પી પી પાંડે હોસ્પિટલમાં દાખલ કરાયા

અગાઉ સુપ્રીમ કોર્ટે પી પી પાંડેને સીબીઆઈ કોર્ટ સમક્ષ સમર્પણ કરવાનો નિર્દેશ કર્યો હતો. જેને પગલે રવિવારે આઇપીએસ અધિકારી પી પી પાંડે એક મોટા રાજકારણી અને સિનિયર એડ્વોકેટને મળ્યા હતા. ઉલ્લેખનીય છે કે ઇજરત જહાં કેસમાં સીબીઆઈએ તેમને 30 જુલાઈ સુધી હાજર થવા જણાવ્યું હતું.
ઇશરત જહાં કેસમાં આરોપી અને ક્રાઇમ બ્રાન્ચના પૂર્વ જેસીપી પી પી પાંડેની ધરપકડ કરવા માટે સીબીઆઇએ સીઆરપીસીની કલમ 73 મુજબ સીબીઆઇ કોર્ટમાં અરજી કરી હતી. આમ છતાં તેઓ ન મળી આવતા તેમને ભાગેડુ જાહેર કરવામાં આવ્યા હતા. આ વાતને 90 દિવસનો સમય વિતી ગયો હોવા છતા સીબીઆઇ પાંડેને શોધી શકી ન હતી.
બીજી તરફ સુપ્રીમ કોર્ટે પણ પાંડેને કોઇ જ રાહત ન આપતા તેઓ ગત શનિવારે જ અમદાવાદ આવી પહોંચ્યા છે. તેઓ આજે બપોર સુધી તેઓ સીબીઆઇ કોર્ટ સમક્ષ સરન્ડર અરજી કરી હાજર થશે તેવુ સૂત્રો જણાવી રહ્યા છે.












Click it and Unblock the Notifications
