ઈશરત કેસ : પી પી પાંડેની જામીનઅરજી ફગાવાઈ, ધરપકડ નિશ્ચિત

isharat-jahan
અમદાવાદ, 6 ઑગસ્ટ : ગુજરાતના અમદાવાદ પાસે બનેલા બહુચર્ચિત ઈશરત જહાં એન્કાઉન્ટર પ્રકરણમાં સંભવિત ધરપકડ સામે રાજ્યના ઉચ્ચ પોલીસ અધિકારી પી પી પાંડેએ આગોતરા જામીન મેળવવા સીબીઆઈ કોર્ટમાં અરજી કરી હતી. આજે આ અરજીને ફગાવી દેવામાં આવતાં હવે પાંડેની ધરપકડ નિશ્ચિત બની છે.

આ અંગેની વિગત એવી છે કે ઈશરત જહાં એન્કાઉન્ટર પ્રકરણની તપાસ કરી રહેલી સીબીઆઈએ રાજ્યના એડિશનલ ડીજીપી પી પી પાંડેને ત્રણ વાર સમન્સ પાઠવવા છતાં પાંડે સીબીઆઈ સમક્ષ હાજર ન થતાં તેમને ભાગેડુ જાહેર કરવામાં આવ્યા હતા.

આ પછી પુરા ત્રણ મહિના બાદ પાંડે બીમારીનું કારણ દર્શાવી હોસ્પિટલમાં દાખલ થઈ ગયા હતા અને 29 જુલાઈએ સીબીઆઈ કોર્ટમાં હાજર થયા હતા. દરમિયાનમાં હાઈકોર્ટે તેમની છ ઓગસ્ટ સુધી ધરપકડ ન કરવા હુકમ કર્યો હતો. આજે પાંડે દ્વારા કરાયેલી જામીન અરજીને સીબીઆઈ કોર્ટે ફગાવી દેતાં હવે તેમની ધરપકડ નિશ્ચિત બની છે.

ન્યાયાધીશ ગોપી ગીતાએ આ કેસની સુનવણી બાદ પોતાનો નિર્ણય અનામત રાખ્યો હતો. પાંડેની જામીન અરજી કોર્ટે ફગાવી દીધા બાદ હવે પાંડેએ આજે કોર્ટમાં ફરી અરજી કરીને બે દિવસ સુધી તેમની ધરપકડ નહીં કરવા માટેનો આગ્રહ કર્યો છે. પાંડેએ પોતાની અરજીમાં સીબીઆઇ પર આરોપ લગાવ્યો હતો કે તેમની વિરુદ્ધ તપાસ એજન્સીની પાસે પૂરતા પુરાવા નથી. તેમને રાજકીય કાવતરા હેઠળ ફસાવવામાં આવી રહેલા છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X