ઈશરત કેસ : પી પી પાંડેની જામીનઅરજી ફગાવાઈ, ધરપકડ નિશ્ચિત

આ અંગેની વિગત એવી છે કે ઈશરત જહાં એન્કાઉન્ટર પ્રકરણની તપાસ કરી રહેલી સીબીઆઈએ રાજ્યના એડિશનલ ડીજીપી પી પી પાંડેને ત્રણ વાર સમન્સ પાઠવવા છતાં પાંડે સીબીઆઈ સમક્ષ હાજર ન થતાં તેમને ભાગેડુ જાહેર કરવામાં આવ્યા હતા.
આ પછી પુરા ત્રણ મહિના બાદ પાંડે બીમારીનું કારણ દર્શાવી હોસ્પિટલમાં દાખલ થઈ ગયા હતા અને 29 જુલાઈએ સીબીઆઈ કોર્ટમાં હાજર થયા હતા. દરમિયાનમાં હાઈકોર્ટે તેમની છ ઓગસ્ટ સુધી ધરપકડ ન કરવા હુકમ કર્યો હતો. આજે પાંડે દ્વારા કરાયેલી જામીન અરજીને સીબીઆઈ કોર્ટે ફગાવી દેતાં હવે તેમની ધરપકડ નિશ્ચિત બની છે.
ન્યાયાધીશ ગોપી ગીતાએ આ કેસની સુનવણી બાદ પોતાનો નિર્ણય અનામત રાખ્યો હતો. પાંડેની જામીન અરજી કોર્ટે ફગાવી દીધા બાદ હવે પાંડેએ આજે કોર્ટમાં ફરી અરજી કરીને બે દિવસ સુધી તેમની ધરપકડ નહીં કરવા માટેનો આગ્રહ કર્યો છે. પાંડેએ પોતાની અરજીમાં સીબીઆઇ પર આરોપ લગાવ્યો હતો કે તેમની વિરુદ્ધ તપાસ એજન્સીની પાસે પૂરતા પુરાવા નથી. તેમને રાજકીય કાવતરા હેઠળ ફસાવવામાં આવી રહેલા છે.
-
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
નાના થઈ જશે ગેસ સિલિન્ડર? જાણો શું છે હકિકત? -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ









Click it and Unblock the Notifications
