Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ઇશરત કેસઃ સસ્પેન્ડેડ પોલીસકર્મીની જામીન અરજી પર CBIને નોટીસ

અમદાવાદ, 26 નવેમ્બરઃ અમદાવાદની એક અદલાતે ઇશરત જ્હાં નકલી એન્કાઉન્ટર કેસમાં સસ્પેન્ડેડ એડિશનલ પોલીસ મહાનિદેશક પૃથ્વી પાલ પાંડેયની જામીન અરજી પર મંગળવારે સીબીઆઇને નોટીસ ફટકારી છે.

ishrat-jahan-ahmedabad
વિશેષ સીબીઆઇ ન્યાયાધીશ કે.આર. ઉપાધ્યાયે સીબીઆઇને નોટીસ જારી કરીને તેની પાસે પાંડેયની અરજી પર જવાબ માંગ્યો છે. ન્યાયાલય આ અરજી પર હવે 12 ડિસેમ્બરે સુનાવણી હાથ ધરશે. ગત વર્ષના ઑગસ્ટ માસથી જેલમાં બંધ પાંડેયએ નકલી એન્કાઉન્ટર મામલે નિયમિત જામીનની માંગ કરી છે. તેમણે કહ્યું છેકે, સીબીઆઇએ તેમની વિરુદ્ધ કોઇ ખાસ સાક્ષ્સ રજૂ કર્યા નથી.

1982 બેંચના આઇપીએસ અધિકારી પાંડેય એ સમયે અમદાવાદના સંયુક્ત પોલીસ આયુક્ત(ગુના) હતા, જ્યારે મુંબઇની વિદ્યાર્થિની ઇશરત, જાવેદ શેખ ઉર્ફે પ્રાણેશ પિલ્લે, અમજદ અલી રાણા અને જીશાન જોહરનું 15 જૂન 2014ના રોજ શહેરના બહારના વિસ્તારમાં ગુના શાખા દ્વારા એન્કાઉન્ટર કરવામાં આવ્યું હતું. સીબીસીઆઇએ પાંડેય સહિત ગુજરાત પોલીસના સાત પોલીસકર્મીઓને આરોપી બનાવ્યા હતા અને તેમના પર હત્યા અને ગુનાહિત ષડયંત્રનો આરોપ લગાવવામાં આવ્યો હતો. સીબીઆઇએ 3 જુલાઇ 2013ના પોતાના આરોપપત્રમાં આ એન્કાઉન્ટરને નકલી ગણાવ્યું હતું અને તેને ગુજરાત પોલીસ અને જાસૂસી સંસ્થાનું સંયુક્ત અભિયાન ગણાવ્યું હતું.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X