For Quick Alerts
For Daily Alerts
ઇશરત જહાં કેસ: સીબીઆઇએ દાખલ કરી ચાર્જશીટ, એન્કાઉન્ટરને ગણાવ્યું બનાવટી
સીબીઆઇએ પોતાની ચાર્જશીટમાં ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી અને ભાજપના નેતા અમિત શાહનું નામ નથી. સીબીઆઇના જણાવ્યા અનુસાર આ એન્કાઉન્ટર સંપૂર્ણ રીતે બનાવટી હતું. એમપણ કહેવામાં આવ્યું હતું કે આઇબીના સ્પેશિયલ ડાયરેક્ટર રાજેન્દ્ર કુમારની ભૂમિકા અંગે તપાસ ચાલુ છે. રાજેન્દ્ર કુમાર 31 જૂલાઇના રોજ ભારતીય પોલીસ સેવા (આઇપીએસ)માંથી નિવૃત થઇ જશે. આખી ચાર્જશીટ માટે સીબીઆઇએ બે દિવસનો સમય માંગ્યો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે અમદાવાદ પાસે થયેલા આ એન્કાઉન્ટરમાં 19 વર્ષની ઇશરત ઉપરાંત જાવેદ શેખ ઉર્ફે પ્રાણેશ પિલ્લઇ, અમજદ અલી રાણા અને જીશાન જૌહરને મોતના ઘાટ ઉતારવામાં આવ્યા હતા. આ એન્કાઉન્ટર 15 જૂન 2004ના રોજ થયું હતું.
cbi gujarat narendra modi ishrat jahan court chagesheet સીબીઆઇ ગુજરાત નરેન્દ્ર મોદી ઇશરત જહાં કોર્ટ ચાર્જશીટ
English summary
The investigative agency Central Bureau of Investigation (CBI) on Wednesday, July 3 finally filed its first chargesheet in Ishrat Jahan fake encounter case.
Story first published: Wednesday, July 3, 2013, 18:03 [IST]