ઇશરતના પરિવારને મળી જાનથી મારી નાખવાની ધમકી, સુરક્ષાની કરી માંગણી

રિપોર્ટ અનુસાર ઇશરત જહાંની બહેને પણ દાવો કર્યો છે કે પરિવારના સભ્યોને ગત મહિનાથી જાનથી મારવાની ધમકીઓ મળી રહી છે. પરિવારે કેન્દ્રિય ગૃહ ગૃહ સચિવને પત્ર લખીને સુરક્ષાની માંગણી કરી છે. ગૃહ મંત્રાલયે પરિવારને સંપુર્ણ સુરક્ષાનું આશ્વાસન આપ્યું છે. આ દરમિયાન કેન્દ્રિય ગૃહ મંત્રી સુશીલ કુમાર શિંદેએ કહ્યું હતું કે જો ઇશરત જહાંનો પરિવાર સુરક્ષાની માંગણી કરશે તો તેમને સુરક્ષા પુરી પાડવામાં આવશે. તેમને કહ્યું હતું કે ઇશરત જહાંના પરિવારની સરકારને ચિંતા છે.
15 જૂન 2004ના રોજ ઇશરત જહાંને ગુજરાત પોલીસની ક્રાઇમ બ્રાન્ચે અમદાવાદની બહાર બનાવટી એન્કાઉન્ટરમાં મારી નાખી હતી. 19 વર્ષની ઇશરત મુંબઇની એક કોલેજની વિદ્યાર્થીની હતી. ઇશરત જહાંની સાથે ત્રણ અન્ય લોકોના પણ એન્કાઉન્ટરમાં મોત નિપજ્યાં હતા. સીબીઆઇએ આ મુદ્દે તાજેતરમાં જ ચાર્જશીટ દાખલ કરી છે.
સીબીઆઇએ એન્કાઉન્ટરને બનાવટી ગણાવતાં કહ્યું હતું કે કે ઇશરત જહાં આતંકવાદી ન હતી. ચાર્જશીટમાં છ પોલીસ અધિકારીઓને આરોપી બનાવવામાં આવ્યા છે તેમના પર હત્યા, હત્યાનું કાવતરું રચવાનો આરોપ લગાવવામાં આવ્યો છે.
-
Gold Rate Today: આજે રામનવમી પર સોનાના ભાવમાં આવ્યો ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
Dhurandhar 2 BO Collection Day 7: 'ધુરંધર 2'નો બોક્સ ઓફિસ પર દબદબો, 7માં દિવસે કરી આટલી કમાણી -
નવસારીના સરામાં ધર્માનંતરણને લઈને હંગામો, જાણો શું છે પુરો વિવાદ? -
Gold Rate Today: સોનાના ભાવમાં મામૂલી ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
ગુજરાત પોલીસે જપ્ત કરેલુ 2332 કિલો ડ્રગ્સ ઉંદરો ખાઇ ગયા, CAG રિપોર્ટમાં દાવો -
Petrol Diesel Price: 26 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
કચ્છમાં કરા સાથે વરસાદ, ખેડૂતોને મોટુ નુકસાન -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ગુજરાતમાં માવઠાનો વધુ એક રાઉન્ડ આવશે, 28 એપ્રિલથી વાતાવરણમાં પલટાની આગાહી -
Petrol Diesel Price: 25 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ








Click it and Unblock the Notifications
