Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ઇશરતના પરિવારને મળી જાનથી મારી નાખવાની ધમકી, સુરક્ષાની કરી માંગણી

isharat-jahan
અમદાવાદ, 11 જુલાઇ: ઇશરત જહાંના પરિવારને જાનથી મારવાની ધમકીઓ મળી રહી છે. સમાચારો અનુસાર અજાણ્યા લોકો તેમના જીવ પાછળ પડ્યા છે. તેમને સરકાર પાસે સુરક્ષા માંગી છે. ઇશરત જહાં પરિવારનો દાવો છે કે તાજેતરમાં કેટલાક અજાણ્યા લોકો તેમના ઘરમાં ઘુસી આવ્યા હતા અને ધમકાવવા લાગ્યા હતા.

રિપોર્ટ અનુસાર ઇશરત જહાંની બહેને પણ દાવો કર્યો છે કે પરિવારના સભ્યોને ગત મહિનાથી જાનથી મારવાની ધમકીઓ મળી રહી છે. પરિવારે કેન્દ્રિય ગૃહ ગૃહ સચિવને પત્ર લખીને સુરક્ષાની માંગણી કરી છે. ગૃહ મંત્રાલયે પરિવારને સંપુર્ણ સુરક્ષાનું આશ્વાસન આપ્યું છે. આ દરમિયાન કેન્દ્રિય ગૃહ મંત્રી સુશીલ કુમાર શિંદેએ કહ્યું હતું કે જો ઇશરત જહાંનો પરિવાર સુરક્ષાની માંગણી કરશે તો તેમને સુરક્ષા પુરી પાડવામાં આવશે. તેમને કહ્યું હતું કે ઇશરત જહાંના પરિવારની સરકારને ચિંતા છે.

15 જૂન 2004ના રોજ ઇશરત જહાંને ગુજરાત પોલીસની ક્રાઇમ બ્રાન્ચે અમદાવાદની બહાર બનાવટી એન્કાઉન્ટરમાં મારી નાખી હતી. 19 વર્ષની ઇશરત મુંબઇની એક કોલેજની વિદ્યાર્થીની હતી. ઇશરત જહાંની સાથે ત્રણ અન્ય લોકોના પણ એન્કાઉન્ટરમાં મોત નિપજ્યાં હતા. સીબીઆઇએ આ મુદ્દે તાજેતરમાં જ ચાર્જશીટ દાખલ કરી છે.

સીબીઆઇએ એન્કાઉન્ટરને બનાવટી ગણાવતાં કહ્યું હતું કે કે ઇશરત જહાં આતંકવાદી ન હતી. ચાર્જશીટમાં છ પોલીસ અધિકારીઓને આરોપી બનાવવામાં આવ્યા છે તેમના પર હત્યા, હત્યાનું કાવતરું રચવાનો આરોપ લગાવવામાં આવ્યો છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X