Iskcom Bridge Accident : તથ્ય પટેલના 3 દિવસના રિમાન્ડ મંજુર, પ્રજ્ઞેશ પટેલને જ્યુડિશિયલ કસ્ટડી
અમદાવાદના ઈસ્કોન બ્રિજ પર બેફામ કાર ચલાવીને 10 લોકોને ભરખી જનારા તથ્ય પટેલને કોર્ટે ત્રણ દિવસના રિમાન્ડ પર મોકલ્યો છે. આજે પોલીસે તથ્ય પટેલ અને તેના પિતા પ્રજ્ઞેશ પટેલને કોર્ટમાં રજુ કર્યા હતા.
પોલીસે આરોપીને કોર્ટમાં રજુ કરતા 5 દિવસના રિમાન્ડ માંગ્યા હતા. જેના પર કોર્ટ તથ્ય પટેલના ત્રણ દિવસના રિમાન્ડ મંજુર કર્યા છે અને તેના પિતા પ્રજ્ઞેશ પટેલને 14 દિવસ જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવા આદેશ કર્યો છે.

અમદાવાદની મિરઝાપુર કોર્ટે તથ્ય પટેલને સોમવારે 4 વાગ્યા સુધીના રિમાન્ડ મંજુર કર્યા છે. જણાવી દઈએ કે, આ ભયાનક અકસ્માતમાં તથ્ય પટેલે બેફામ કાર ચલાવીને 10 લોકોના જીવ લીધા છે.
જણાવી દઈએ કે, કોર્ટમાં સરકાર તરફથી કહેવાયુ છે કે આરોપી તથ્ય પટેલ તપાસમાં સહકાર નથી આપી રહ્યો. બીજી તરફ તથ્યના વકિલે જણાવ્યુ કે મીડિયા ટ્રાયલ ચાલી રહ્યું છે અને તથ્યને ગંભીર ઈજાઓ થઈ છે. તેને હોસ્પિટલ મોકલવામાં આવે. તથ્યના વકિલે મુદ્દો રાજનીતિક બનાવાયો હોવાનો પણ આરોપ લગાવ્યો.
અહીં એ પણ જાણવુ જરૂરી છે કે તથ્યને કોર્ટમાં રજુ કરતા પહેલા કોર્ટ પરિસરમાં પુરી સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. જે બાદ આરોપીને કોર્ટમાં લવાયો હતો. અહીં આરોપીને લવાતા મોટી સંખ્યામાં લોકો ભેગા થયા હતા.
-
ઈરાન યુદ્ધ વૈશ્વિક ઉર્જા સંકટને વેગ આપે છે, સ્વચ્છ ટેકનોલોજીમાં ચીનની સ્થિતિ મજબૂત બનાવે છે -
રાજકોટ AIIMS માં સર્જરીના આંકડામાં ધરખમ ઉછાળો: વર્ષ 2025માં 1,900 થી વધુ ઓપરેશન સફળતાપૂર્વક સંપન્ન -
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
સોનિયા ગાંધીએ સરકારના સીમાંકન પ્રસ્તાવને બંધારણ પર ખતરનાક હુમલો ગણાવ્યો -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
સીમાંકન નહીં, મહિલા અનામત એ સાચો મુદ્દો છે: સોનિયા ગાંધી -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
ગુજરાત કોંગ્રેસે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા પોલીસ પર ઉમેદવારોને ડરાવવાનો આરોપ લગાવ્યો -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા







Click it and Unblock the Notifications
