સુરત: બળાત્કારના આરોપમાં જૈન મુનિની ધરપકડ
સુરત ખાતેથી જૈન મહારાજ શાંતિસાગરની બળાત્કારના આરોપમાં ધરપકડ થઇ હતી.
દિગંબર જૈન સમાજના આચાર્ય શાંતિસાગર મહારાજની બળાત્કારના આરોપ હેઠળ શનિવારે રાત્રે સુરતના અઠવાલાઇન્સ ખાતેથી ધરપકડ કરવામાં આવી હતી. શાંતિસાગર મહારાજ પર મધ્ય પ્રદેશની કોલેજમાં ભણતી યુવતીએ બળાત્કારની ફરિયાદ નોંધાવી હતી. યુવતીનો આરોપ છે કે, તેમણે આશીર્વાદ આપવાના નામે યુવતીને રૂમમાં બોલાવી તેની પર દુષ્કર્મ ગુજાર્યું હતું. શાંતિસાગરે યુવતી પર 14 દિવસ સુધી બળાત્કાર કર્યો હતો, જે પછી પોલીસે શનિવારે શાંતિસાગર મહારાદની ધરપકડ કરી હતી.

49 વર્ષીય શાંતિસાગર મહારાજને શનિવારે રાત્રે ધરપકડ બાદ મેડિકલ ટેસ્ટ માટે નવી સિવિલ હોસ્પિટલ લઇ જવામાં આવ્યા હતા. જો કે, હોસ્પિટલમાં મેડિકલ ટેસ્ટ માટે શાંતિસાગર મહારાજે પૂરતો સાથ સહકાર નહોતો આપ્યો. તેમણે દાવો કર્યો હતો કે, તેમની પર ખોટો આરોપ લગાવવામાં આવી રહ્યો છે. મેડિકલ ટેસ્ટ બાદ તેમને રાત્રે જ જજના ઘરે રજૂ કરવામાં આવ્યા હતા, જ્યાં પોલીસ રિમાન્ડની માંગ ન કરતાં આરોપી મહારાજને સીધા જ્યૂડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યા હતા. પોલીસે આ મામલે રિમાન્ડ ન માંગતા અનેક તર્ક-વિતર્ક થઇ રહ્યાં છે.
પીડિતાએ પોલીસ સમક્ષ પોતાની આપવીતી જણાવતાં કહ્યું હતું કે, પહેલા તો તેણે શાંતિસાગર મહારાજની આ વર્તણૂકનો વિરોધ કર્યો હતો. પરંતુ મહારાજે તેને ડરાવીને કહ્યું કે, જો તે બૂમો પાડશે તો તેના માતા-પિતા મરી જશે. આ ધમકીના કારણે તે ડરી ગઇ હતી. યુવતીના માતા-પિતા માર્ચ 2017થી આ મહારાજના સંપર્કમાં હતા અને તેમને ગુરૂ તરીકે સ્વીકાર્યા હતા. પીડિતાએ જ્યારે પોતાના માતા-પિતાને આ અંગે જણાવ્યું ત્યારે પરિવાર વડોદરામાં હતો. ઘટના સુરતના અઠવાલાઇન્સ વિસ્તારમાં બની હોવાથી તેમને વડોદરા પોલીસ મથકમાંથી સુરત જવાની સલાહ આપવામાં આવી હતી.
-
Gujarat Weather: રાજ્યમાં આજથી ત્રણ દિવસ કમોસમી વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં માવઠાની શક્યતા -
IPL 2026: ઓરેન્જ કેપ માટે આ 5 વિસ્ફોટક બેટ્સમેનો વચ્ચે જામશે જંગ -
Dhurandhar 2 BO Collection Day 1: રણવીર સિંહની 'ધુરંધર 2' એ મચાવ્યો ધમાકો, ઓપનિંગ પર તૂટી શકે છે તમામ રેકોર્ડ -
Silver price today: ચાંદી 4,219 રૂપિયા મોંઘી થઈ, રોકાણકારો માટે મોટા સમાચાર -
પાકિસ્તાનની નાકાપ હરકત, અફઘાનિસ્તાનમાં હોસ્પિટલ પર બોમ્બમારો, 400 લોકોના મોત -
યુદ્ધની સ્થિતિ વચ્ચે IIM-Aનો મોટો નિર્ણય: દુબઈના MBA વિદ્યાર્થીઓ અમદાવાદ કેમ્પસમાં ભણશે -
LPG Cylinder: કોમર્શિયલ ગેસ સિલિન્ડર પર સરકારનો ચોંકાવનારો નિર્ણય, આજથી બદલાયા નિયમ! -
યુનિફોર્મ સિવિલ કોડને લઈને ગુજરાત સરકાર એક્શનમાં, સમિતિએ ભલામણો સોંપી -
Gold Rate Today: 18 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
Petrol Diesel Price: 18 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather Today: યુપી-એમપી સહિત 6 રાજ્યોમાં વરસાદની આશંકા, રાજસ્થાનમાં હીટવેવનું એલર્ટ જાહેર -
IPL 2026 : સનરાઈઝર્સની કમાન ઈશાન કિશના હાથમાં, સ્ટેન્ડઈન કેપ્ટન નિયુક્ત











Click it and Unblock the Notifications
