ભાવનગરના જીતુભાઈ વાઘાણી ,પરસોત્તમભાઈ સોલંકી ને રિપિટ ,જ્યારે મંત્રી આર.સી .મકવાણા કપાયા
ભાવનગર જિલ્લાની સાત વિધાનસભા બેઠકો પૈકી છ બેઠકોના ઉમેદવારોની ભાજપ દ્વારા જાહેરાત કરવામાં આવી છે. જેમાં રાજ્યના શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણીને ભાવનગર પશ્ચિમ ની બેઠક પર પુનઃ ટીકીટ આપવામાં આવી છે.
ભાવનગર જિલ્લાની સાત વિધાનસભા બેઠકો પૈકી છ બેઠકોના ઉમેદવારોની ભાજપ દ્વારા જાહેરાત કરવામાં આવી છે. જેમાં રાજ્યના શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણીને ભાવનગર પશ્ચિમ ની બેઠક પર પુનઃ ટીકીટ આપવામાં આવી છે.
જ્યારે ભાવનગરના મહુવાના ધારાસભ્ય અને રાજ્યમંત્રી આર.સી. મકવાણા નું પત્તું કાપવામાં આવ્યું છે અને આરસી બકવાણા ની જગ્યાએ ભાજપ દ્વારા શીવાભાઈ ગોહિલ ને ટિકિટ આપવામાં આવી છે.
ભાવનગર ગ્રામ્ય બેઠક માટે કોળી સમાજના કદાવર નેતા પુરુષોત્તમભાઈ સોલંકી ને ફરી ભાજપ એ ટિકિટ આપી છે. જ્યારે તળાજા બેઠક ઉપર ગૌતમભાઈ ચૌહાણને ટિકિટ આપવામાં આવી છે. ગારીયાધાર બેઠક ઉપર કેશુભાઈ નાકરાણી ને વધુ એક વાર ટિકિટ આપવામાં આવી છે. પાલીતાણા બેઠક ઉપર ભીખાભાઈ બારેયા ને ફરી રીપીટ કરવામાં આવ્યા છે.
ભાવનગરની એકમાત્ર પૂર્વ બેઠક ઉપર હજુ ભાજપે ઉમેદવાર જાહેર કર્યા નથી. આ બેઠક પર પૂર્વ મંત્રી વિભાવરીબેન દવે ને રીપીટ કરે છે કે તેનો પત્તુ કપાય છે તે અંગે ભાવનગરમાં ભારે ચર્ચા જાગી છે.