સ્વામિનારાયણ મંદિર: હરિભક્તોએ કર્યા પારણાં
[ગુજરાત આસપાસ] રોજે રોજ ગુજરાતમાં આપણી આસપાસ અઢળક ઘટનાઓ ઘટતી હોય છે, તેમાંથી ઘણી આપણા કામની હોય છે તો ઘણીબધી કામની નથી હોતી. પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર કરી શકતા નથી. ઘણા બધા એવા મહત્વના સ્થાનિક સમાચારો પર આપણે નજર કરવાનું ચૂકી જતા હોઇએ છીએ. પરંતુ અમે આપને અહીં પળેપળના એવા સ્થાનિક સમાચારોથી અપડેટ રાખીશું, જે મહત્વના છે અને એ પણ તસવીરો સાથે.
આપ આ પેજ પર ગુજરાતના દરેક મહત્વના સમાચારોને તસવીરો સાથે જોઇ અને વાંચી શકશો. ગુજરાતના ખૂણે ખૂણે બનતી ઘટનાઓ અને પળેપળના સમાચારોથી તમને રાખીશું અમે અપડેટ.
ગુજરાતના દરેક મહત્વના સમાચારોથી અપડેટ રહેવા માટે આ પેજને રિફ્રેસ કરતા રહો...
મુખ્યમંત્રી આવશે જગન્નાથ મંદિર
મુખ્યમંત્રી આનંદીબેન પટેલ આજે જગન્નાથ મંદિર આવશે. સાંજે 6.30 કલાકે જગન્નાથ મંદિર પહોંચશે. રથયાત્રાના અગાઉના દિવસે આરતીમાં લેશે ભાગ.
રથયાત્રામાં ભાગ લેશે અમિત શાહ
ભાજપ અધ્યક્ષ અમિત શાહ આજે અમદાવાદમાં આવશે.મોડી સાંજે આવશે અમદાવાદ.રથયાત્રામાં ભાગ લેવા માટે એક દિવસ રોકાશે.
હરિભક્તોએ પારણાં કર્યાં
વડતાલ સ્વામિનારાયણ નામ ધર્માદા મામલો. વડતાલના 30 જેટલા હરિભક્તોએ પારણાં કર્યાં. છેલ્લા 14 દિવસથી 30 હરિભક્તો આમરણાંત ઉપવાસ પર હતા.
CA ફાઈનલનું પરિણામ જાહેર
CA ફાઈનલનું પરિણામ જાહેર થયું. અમદાવાદમાંથી કુલ નવ વિદ્યાર્થી ટોપ 50માં સ્થાન પામ્યા. હિમાની જૈન અમદાવાદ શહેરમાં પ્રથમ સ્થાને આવતા ઉજવણીનો માહોલ.
સ્કૂટરની ડેકીમાંથી રૂ.ચાર લાખની
જામનગરમાં રૂ.ચાર લાખની ચોરીનો મામલો સામે આવ્યો. જામનગરમાં પોલીસે નાકાબંધી જાહેર કરી. સ્કૂટરની ડેકીમાંથી રૂ.ચાર લાખની થઈ હતી ચોરી.
ફાયરસેફ્ટી AMC કમિશનર થારાને નોટિસ
બહુમાળી
ઈમારતોમાં
ફાયરસેફ્ટીનાં
સાધનો
લગાવાનો
મામલો.
હાઈકોર્ટે
ચીફસેક્રેટરી
જીઆર
અલોરિયાને
ફટકારી
નોટિસ.AMC
કમિશનર
થારાને
નોટિસ.
પ્રેમ પ્રકરણમાં કરી યુવતીની હત્યા
અમદાવાદમાં સાબરમતી ખાતે આવેલી કિંગ પેલેસ હોટેલના 107 નંબરના રૂમમાં મળી આવેલી યુવતીની લાશનું ઉકેલાયું કોકડું. પ્રેમીએ પ્રેમ પ્રકરણમાં હત્યા કરી. છેલ્લી મુલાકાત માટે આવી હતી યુવતી. યુવકે 'મારી નહીં થાય તો કોઇની નહીં થાય' કહી ગળુ દબાવી કરી દીધી હત્યા.