ગુજરાત સમેત ભારત ભરમાં પદ્માવત ફિલ્મનો થયો વિરોધ
કરણી સેનાએ ગુજરાત સમેત ભારતમાં કર્યો છે પદ્માવત ફિલ્મનો વિરોધ. થિયેટરને આ કારણે ગુજરાતમાં અપાશે સુરક્ષા તો બીજી તરફ એસટી બસોની સેવા રોકવામાં આવી.
25મી જાન્યુઆરીના રોજ સંજય લીલા ભણસાળીની ફિલ્મ પદ્માવત રીલીઝ થશે. પણ તે પહેલા જ કરણી સેના દ્વારા ગુજરાત સમેત ભારતભરમાં ઠેર ઠેર જોરદાર વિરોધ પ્રદર્શન કરીને નિર્દેશકોની મુશ્કેલીઓ વધારી દીધી છે. વધુમાં કરણી સેનાએ 25મી જાન્યુઆરીએ વધુ ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે. જોના પગલે ગુજરાતના અનેક થિયેટરો આ ફિલ્મને ના લગાવા અંગે વિચારી રહ્યા છે. નોંધનીય છે કે ગુજરાતમાં કોઇ ફિલ્મનો આટલા મોટા પ્રમાણમાં વિરોધ થયો હોય તેવી આ પહેલી ઘટના છે. બીજી તરફ સરકાર પ્રદર્શનકારીઓને શાંત રહેવાની અપીલ કરી છે. તેમ છતાં સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં અનેક સ્થળે ભરેલા અગ્નિ જેવી સ્થિતિ છે. વધુમાં સૌરાષ્ટ્રના સાધુ સમાજે પણ પદ્માવતના વિરોધને સમર્થન આપતા પોતાનો ટેકો જાહેર કર્યો છે.

આ મામલે ગુજરાતમાં 6થી વધુ બસો સળગાવતા શનિવારથી મોટી સંખ્યામાં એસ.ટી. બસોની અવર જવર બંધ કરી દેવામાં આવી છે. જો કે પદ્માવત ફિલ્મ રીલિઝના દિવસે થિયેયરને પોલીસ સુરક્ષા આપવાની વાત પણ તંત્ર દ્વારા કરવામાં આવી છે. જો કે ખાલી ગુજરાતમાં જ નહીં પણ દિલ્હી, નોયડામાં પણ કરણી સેના દ્વારા મોલની તોડફોડ અને વિરોધની ઘટનાઓ સામે આવી છે. કુરુક્ષેત્ર, લખનઉમાં કરણી સેનાના કાર્યકર્તાઓ ફિલ્મનો વિરોધ કર્યો છે. રવિવારે પણ ગુરુગ્રામના ડીએનડી બ્લોકમાં કરણી સેનાના પ્રદર્શન પછી 200થી વધુ લોકો સાથે ફરિયાદ નોંધવામાં આવી હતી. ગુજરાતમાં પણ રાજહંસ જેવા મોલ પર તોડફોડ પછી ફરિયાદ નોંધવામાં આવી હતી. ત્યારે હાલ જ્યારે આ ફિલ્મની રિલિઝને બે દિવસની જ વાર છે ત્યારે ઠેર ઠેર થઇ રહેલા આ વિરોધના પગલે સામાન્ય જનજીવન ખોરવાયું છે.
-
Flight Fare: સરકારે ફ્લાઈટના ભાડા પરથી હટાવ્યું નિયંત્રણ, એરલાઈન્સને મળી ખુલ્લી છૂટ, શું વધશે ટિકિટના ભાવ? -
Mumbai Ahmedabad Bullet Train: બુલેટ ટ્રેન પ્રોજેક્ટ હવે પકડશે રોકેટ જેવી રફ્તાર, જાણો લેટેસ્ટ અપડેટ -
Flight tickets: પેટ્રોલ-LPG પછી હવે મોંઘી થશે હવાઈ મુસાફરી? ઉડ્ડયન મંત્રીએ આપ્યો આ જવાબ -
IPL 2026: કઈ ટીમનું નેતૃત્વ કોણ કરશે? ઈશાન કિશનથી લઈને ઋતુરાજ સુધીના તમામ કેપ્ટનોની યાદી, જાણો -
Weather News: યુપી-એમપી-બિહાર સહિત 8 રાજ્યોમાં ભારે વરસાદનો કહેર, જાણો હવામાન વિભાગની આગાહી -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
Middle East Crisis: PM મોદી એક્શન મોડમાં, ક્રૂડ ઓઈલ, ગેસ અને ફર્ટિલાઈઝરની સપ્લાય પર મોટો નિર્ણય! -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
World Water Day 2026: ઉનાળાના પ્રારંભે ગુજરાતના જળાશયોમાં કેટલું પાણી? જાણો 207 ડેમની લેટેસ્ટ સ્થિતિ -
Dhurandhar 2 BO Collection Day 3: ત્રીજા દિવસે રણવીર સિંહની 'ધુરંધર 2'એ મચાવી ધમાલ, કમાણીએ તોડ્યા રેકોર્ડ -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ








Click it and Unblock the Notifications
