ગુજરાતના મુખ્યમંત્રી પદ માટે ગુજરાતની જનતા પાસે માંગ્યો હતો અભિપ્રાય
આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય કન્વીરન આજે આપના મુખ્યમંત્રી પદના ઉમેદવારની જાહેરાત કરશે. અરવિંદ કેજરીવાલ દ્વારા લોકો પાસે ઇમેઇલ, વોઇસ મેઇલ, SMS,વૉટ્સએપ, પર પોતાના પસંદગીના સીએમ પદના ઉમેદવારના નામ મોકલવા માટે ગુજરાતની જનતાને
આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય કન્વીરન આજે આપના મુખ્યમંત્રી પદના ઉમેદવારની જાહેરાત કરશે. અરવિંદ કેજરીવાલ દ્વારા લોકો પાસે ઇમેઇલ, વોઇસ મેઇલ, SMS,વૉટ્સએપ, પર પોતાના પસંદગીના સીએમ પદના ઉમેદવારના નામ મોકલવા માટે ગુજરાતની જનતાને જણાવા કહ્યું હતુ. લોકોના અભિપ્રાયના આધારે તેમની પાર્ટીના મુખ્યમંત્રીના ચહેરાને જાહેર કરવામાં આવશે.
દિલ્હીના મુખ્યંત્રી અરવિંદ કેજરીવાલે ઇમેઇલ આઇડ, વૉટ્સએપ નંબર જાહેર કરીને લોકોને તેના પર પોતાના અભિપ્રાય આપવા કહ્યું હતુ. તેના આધારે 4 નવેમ્બરના રોજ આપના મુખ્યમંત્રી પદના ઉમેદવારની જાહેરાત કરવામા આવશે તેમ જણાવ્યું હતુ.
આપના મુખ્યમંત્રી પદની રેસમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલીયા, રાષ્ટ્રીય મહાસચિવ ઇશુદાન ગઢવી અને મહા સચિવ મનોજ સોરઠીયાનો સમાવેશ થાય છે. આ અંગેની જાહેરાત દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ શુક્રવારે અમદાવાદ ખાતે આપના પ્રદેશ કાર્યાલયથી કરશે.
આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાત વિધાનસભાની 10 બેઠકો પરના ઉમેદવારોની 9 મી યાદી ની પણ જાહેરાત કરી દિધી છે. જેમા દસાડા બેઠક માટે અરવિંદ સોલંકી, પાલિતાણાં બેટક માટે ડો. ZP ખેની, ભાવનગર પૂર્વ બેઠક માટે હમીર રાઠોડ, પેટલાદ બેઠક માટે અર્જુન ભરવાડ, કલોલ બેઠક પર કાતિજી ઠાકોર, નડિયાદ બેઠક માટે હર્ષદ વાઘેલા, અમદાવાદ દરિયાપુર બેઠક માટે તાજ કુરેશી, જમાલપુર ખાડીયા હારૂન નાગોરી, હાલોલ બેઠક પર ભરત રાઠવા અને સુરત પૂર્વ બેઠક પર કંચન જરીવાલાને આમ આદમી પાર્ટીએ મેદાનમાં ઉતાર્યા છે.