જાણો તમારા ઉમેદવારને: ગારીયાધારથી ભાજપના કેશુભાઈ નાકરાણી
ગુજરાતમાં રાજકીય પક્ષો દ્વારા વિધાનસભાની ચૂંટણીમાં ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા હતા. જેમાં ગારીયાધારની સીટ પરથી ભાજપના કેશુભાઈ નાકરાણીને ટિકિટ આપવામાં આવી છે. કેશુભાઈ નાકરાણી વિષે થોડુ જાણીએ.
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપનો દાવો છે કે તે એક એક બેઠક પર પોતાની નજર બનાવીને આ ચૂંટણી લડી રહી છે. વળી વિધાનસભાની સીટ પરના ઉમેદવારોની યાદી અને વિવાદો પણ આ ચૂંટણીને વધારે રસપ્રદ બનાવી રહ્યા છે, ત્યારે 20 નવેમ્બરના ભાજપ દ્વારા ઉમેદવારોની ત્રીજી યાદી બહાર પાડવામાં આવી છે. આ યાદીમાં ગારીયાધારની વિધાનસભા સીટ પરના ઉમેદવાર તરીકે કેશુભાઈ નાકરાણીની પસંદગી કરવામાં આવી છે. તો કેશુભાઈ નાકરાણી વિષે થોડુ જાણીએ. કેશુભાઇનો જન્મ 29 ઓક્ટોમ્બર,1957ની રોજ ભાવનગરના ગારીયાધારમાં થયો હતો. તેમના પિતાનું નામ હિરજીભાઈ નાકરાણી છે. તેમણે સૌ પ્રથમ વખત 1995માં વિધાનસભાની ચૂંટણી લડી હતી.

2012ની વિધાનસભાની ચૂંટણીની વાત કરવામાં આવે તો કેશુભાઈ નાકરાણી ભાજપના ઉમેદવાર હતા તેમણે કોંગ્રેસના બાબુભાઈ મનગુકિયાને 53,377 મતોથી હાર આપી હતી. myneta. in પરથી મળતી માહિતી અનુસાર કેશુભાઈએ ધોરણ 10 સુધીનો અભ્યાસ કર્યો છે. તેમની પત્નીનું નામ સવિતાબેન છે. તેમને એક પુત્ર અને ત્રણ પુત્રી છે. તેમની કામની વાત કરવામાં આવે તો તેઓ ખેતી અને સમાજસેવા કરે છે. તેમની કુલ સંપત્તિ 75 લાખની આસપાસ છે. તેમના પર અત્યાર સુધીમાં કોઈ પણ ગુનાહિત કેસ નથી નોંધાયો.












Click it and Unblock the Notifications
