સ્ટેચ્યુ ઓફ યુનિટી–એકતાનગર ખાતે આજ તા. ૭મી માર્ચથી કેસુડાં ટુરનો થશે શુભારંભ*
ટૂરનો સમય સવારે ૦૭:૦૦ થી ૧૦:૦૦ અને સાંજે ૦૪:૦૦ થી ૦૭:૦૦ સુધીનો રહેશે. મુલાકાતીઓ ઓનલાઇન બુકિંગ કરી તેમની અનુકૂળતા મુજબ સ્લોટ બુક કરાવી શકશે
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની દીર્ઘદ્રષ્ટાથી આજે સ્ટેચ્યુ ઓફ યુનિટી- એકતાનગર વિશ્વકક્ષાનું પ્રવાસનધામ બન્યુ છે. એકતાનગરની આજુ-બાજુનો વિસ્તાર કેસુડાના ૬૫ હજારથી પણ વધુ વૃક્ષથી સમૃધ્ધ છે. વસંતઋતુના આગમન સાથે જ આ વિસ્તારમાં કેસુડાના ફૂલોની ચાદર છવાઇ ગઈ છે. કેશુડાના સોંદર્યનું મોહક વર્ણન આજ સુધી સૌએ સાહિત્ય અને કાવ્યોમાં ખુબ જ સાભળ્યું હશે, પણ આ અહ્લાદક નજરાણું સામાન્ય જનતા પણ માણી શકે તે માટે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે કેસુડા ટુરની શરૂઆત કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ કેસુડાં ટુરનો આજ તા. ૭મી માર્ચથી શુભારંભ થશે. આ સફરમાં નિષ્ણાંત વનકર્મીઓ અને તાલીમબદ્ધ ભોમિયા(ગાઈડ) નાગરિકોને કુદરતની રચના અને સમૃદ્ધ વનનો પરિચય કરાવશે.

કેસુડાં ટુરમાં પ્રવાસીઓને બસમાં શ્રેષ્ઠ ભારત ભવનથી વિંધ્યાચલમાં ફેલાયેલા ભવ્ય અને પ્રાચીન જંગલમાં લઈ જવામાં આવશે, જે કેસુડાના ગાઢ જંગલો ધરાવે છે. તેઓ પરાગરજની ચમત્કારિક દુનિયા અને કેસુડાના ફૂલો સાથેના તેમના જોડાણને જોતા-જોતા ખીણો અને કોતરો સાથે લગભગ ૩-૪ કિમી સુધી ટ્રેક કરશે. ટ્રેકીંગ પછી પ્રવાસીઓને ખલવાણી ઇકોટુરિઝમ સાઇટની પણ મુલાકાત કરાવવામાં આવશે. આ ટૂરનો સમય સવારે ૦૭:૦૦ થી ૧૦:૦૦ અને સાંજે ૦૪:૦૦ થી ૦૭:૦૦ સુધીનો રહેશે. મુલાકાતીઓ www.soutickets.in પરથી ઓનલાઇન બુક કરી તેમની અનુકૂળતા મુજબ સ્લોટ બુક કરાવી શકે છે.
-
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ -
નાના થઈ જશે ગેસ સિલિન્ડર? જાણો શું છે હકિકત? -
ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીઓ માટે મતદાર યાદી જાહેર, જાણો કેટલા મતદાર?






Click it and Unblock the Notifications
