જાણો નારી ગૌરવ નીતિ 2024, મહિલાઓને શું થશે લાભ?
Nari Gaurav Niti 2024: વિકસિત ગુજરાત @2047 ના સંકલ્પ ને સાર્થક કરવા માટે નારી ગૌરવ નીતિનું પુનઃ ઘડતર કરવામાં આવ્યું છે. જે મહિલાઓના સશકિતકરણ અને આર્થિક ઉત્થાન માટે મહત્વની પુરવાર થશે.
મહિલાઓના સર્વાંગી વિકાસ માટે તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા રાજ્યમાં સૌ પ્રથમ વર્ષ 2006માં નારી ગૌરવ નીતિનું ઘડતર કરી અમલમાં મૂકવામાં આવી હતી.
જાતિગત બાબતને વિકાસના મુખ્ય પ્રવાહમાં સમાવિષ્ટ કરી રાજ્ય અને દેશમાં જાતિગત સમાનતા લાવવાના ઉદાહરણરૂપ પ્રયત્નો કરનાર દેશમાં ગુજરાત એક પ્રથમ રાજ્ય બન્યું હતું કે, જેને મહિલાઓના સર્વાંગી વિકાસ માટેની અલયાદી નીતિનું ઘડતર કરી સફળ રીતે અમલી બનાવેલ હતી, જેનો શ્રેય માન. નરેન્દ્રભાઈ મોદી ને ફાળે જાય છે.
વિકસિત ગુજરાત @2047 ના સંકલ્પ ને સાર્થક કરવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને મહિલા બાળ કલ્યાણ મંત્રી ભાનુબેન બાબરીયાના માર્ગદર્શન હેઠળ આજે આ નારી ગૌરવ નીતિનું પુનઃ ઘડતર કરવામાં આવ્યું છે.
નારી ગૌરવ નીતિ 2006 - નારી ગૌરવ નીતિના પાયામાં જે વિચાર રહેલો છે તે એ કે, રાષ્ટ્રના સામાજિક-આર્થિક ઉત્થાનમાં યોગદાન પ્રદાન કરવા સંબંધમાં સ્ત્રી અને પુરુષની ફરજો, જવાબદારીઓ તેમજ એમાંથી નીપજતી તકો અને હક્કો સ્ત્રી-પુરુષ માટે એકસમાન હોવા જોઈએ.
નારી ગૌરવ નીતિ 2006માં તે સમયની મહિલાઓની સ્થિતિ, સમસ્યાઓ અને જરૂરીયાતને અનુલક્ષી વિકાસના મહત્વના ૮ ક્ષેત્રો આર્થિક પર્યાવરણ, સંચાલન અને નિર્ણય શક્તિ, આરોગ્ય અને જીવનની ગુણવત્તા, હિંસા, કુદરતી સંસાધન અને વ્યવસ્થાપન, શિક્ષણ, કાયદાકીય પર્યાવરણ તેમજ હિમાયત અને ક્ષમતા ઘડતરની સમાવેશ કરેલ હતો.

નીતિમાં સમાવિષ્ટ આ ક્ષેત્રો માટે કુલ 116 એક્શન પોઈન્ટ્સ નક્કી કરવામાં આવેલ હતા, જે અંગે સબંધિત તમામ વિભાગોને નિયત સમયમાં તેના અમલીકરણની જવાબદારી આપવામાં આવેલ હતી, રાજ્ય સરકાર દ્વારા નીતિમાં નિર્ધાર કરેલ (એક્શન પોઈન્ટ) લક્ષ્યમાંથી 88 ટકા સિદ્ધિ મેળવેલ હતી.
નારી ગૌરવ નીતિના પુન:ઘડતરની આવશ્યકતા - સાંપ્રત સમયમાં બદલાતા સામાજિક-આર્થિક પરિપ્રેક્ષ્ય તેમજ પ્રવર્તમાન કાયદાઓ, નિયમો અને સામાજિક-આર્થિક સ્થિતિમાં બદલાવની સાથે નીતિના મૂળ પ્રારૂપ તેમજ તેની સાથે સંકળાયેલ વિવિધ બાબતોમાં ફેરફાર કે બદલાવ આવશ્યક બને છે.
આ ઉપરાંત, વૈશ્વિક સ્તરે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલને અનુલક્ષીને તેમજ નારીના સર્વાંગી વિકાસને લક્ષમાં લઈ આ નીતિની કેટલીક બાબતોમાં સંશોધન કરવાની તેમજ નીતિના ઉદ્દેશોની પરિપૂર્ણતાને ધ્યાનમાં રાખી કેટલાક નવા ક્ષેત્રો ઉમેરવાની જરૂરિયાત જણાઈ.
નારી ગૌરવ પુન:ઘડતરની આવશ્યકતા અને હાથ ધરવાની પ્રક્રિયા અંગે અધિક મુખ્ય સચિવશ્રી, સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના અધ્યક્ષસ્થાને એક કોર સમિતિની રચના કરવામાં આવી હતી.
આ સમિતિની સાથે નિયત કરેલ ક્ષેત્રોમાં તે ક્ષેત્રો સાથે જોડાયેલ સરકારી, સંસ્થાકીય તેમજ શિક્ષણવિદોને સભ્ય તરીકે સામેલ કરી જુદા-જુદા વર્કિંગ ગ્રુપની રચના કરવામાં આવેલ હતી, જેઓ દ્વારા સતત બેઠકો યોજી સર્વ સંમતીથી ક્ષેત્રવાર મુદ્દાઓને આખરી કરેલ હતા.
નીતિ 2024માં સમાવિષ્ટ ક્ષેત્રો :
નારી ગૌરવ નીતિ 2024માં મહિલાઓના સર્વાંગી વિકાસ, આધુનિક વિકાસ તેમજ તકનીકી વિકાસને અનુલક્ષી અગાઉની નીતિ પ્રમાણે 8 ક્ષેત્રોનો સમાવેશ કરેલ છે, જેમાં અગાઉના ક્ષેત્રો અને નવીન ક્ષેત્રોને પણ સંકલિત કરવામાં આવેલ છે, જેમાં...
1) શિક્ષણ અને રમતગમત
2) હિંસા અને સુરક્ષા
3) આરોગ્ય, પોષણ અને જીવનની ગુણવત્તા
4) પર્યાવરણ અને ક્લાઈમેટ ચેન્જ
5) સામાજિક સુરક્ષા અને કલ્યાણ
6) વિજ્ઞાન અને ટેકનોલોજી
7) આર્થિક પર્યાવરણ
8) વહીવટ અને નિર્ણય-શક્તિનો સમાવેશ થાય છે.
નીતિનું અમલીકરણ : નારી ગૌરવ નીતિ એ રાજ્યની તમામ મહિલાઓના સર્વાંગી વિકાસ માટે વિવિધ વિભાગોના સમન્વય થી અમલી બનાવેલ હોઈ નીતિમાં સમાવિષ્ટ ક્ષેત્રો અને તેના અમલીકરણની જવાબદારી દરેક વિભાગની રહે છે, દરેક વિભાગે નીતિમાં સમાવિષ્ટ પોતાના વિભાગના સબંધિત મુદ્દાઓ અંગે નિયત સમયમાં કાર્યવાહી કરવાની નિર્દેશ કરવામાં આવેલ છે.
નીતિનું મોનીટરીંગ અંગે સમીક્ષા : નારી ગૌરવ નીતિના સુચારું અમલીકરણ, કામગીરીની સમીક્ષા અને મૂલ્યાંકન માટે માન. મુખ્ય સચિવના અધ્યક્ષ સ્થાને રાજ્યકક્ષાની સમિતિની રચના કરવામાં આવેલ છે, જે સમયાંતરે નીતિની સમીક્ષા કરી સુચારુ અમલીકરણ માટે જરૂરી દિશા નિર્દેશ કરશે.
નીતિના અમલીકરણથી થનાર સંભવિત ફાયદાઓ
- વિકાસના તમામ મુખ્યપ્રવાહોમાં જાતિગત બાબતનો સ્વીકાર અને સમાવેશ થશે
- સમાજમાં પ્રવર્તતા જાતિગત ભેદભાવો, માનસિકતા તેમજ જાતિગત હિંસામાં ઘટાડો થશે
- રાજ્યમાં મહિલાઓ માટે સ્વમાન અને સુરક્ષાનું વાતાવરણ ઉભું થશે
- મહિલાઓ માટે વિકાસની વધુ તકોનું સર્જન થશે જેથી, મહિલાઓ વધુ સશક્ત બનશે
- લાંબા ગાળે સામાજિક પ્રથાઓ, રૂઢિગત માનસિકતા અને રીત-રીવાજોમાં ફેરફારને પણ પ્રોત્સાહન મળશે, અને જે વધુ સમાન અને પ્રગતિશીલ વાતાવરણ ઉભું કરશે.
-
Gujarat Weather: હવે કમોસમી વરસાદની શક્યતા નહિવત, આગામી દિવસોમાં વધશે ગરમી, જાણો હવામાન વિભાગની આગાહી -
Middle East Crisis: PM મોદી એક્શન મોડમાં, ક્રૂડ ઓઈલ, ગેસ અને ફર્ટિલાઈઝરની સપ્લાય પર મોટો નિર્ણય! -
ગુજરાતના હાઈવે પર હવે નહીં લાગે લાઈનો, વધુ 24 ટોલ પ્લાઝા બનશે બેરિયર-લેસ -
Flight Fare: સરકારે ફ્લાઈટના ભાડા પરથી હટાવ્યું નિયંત્રણ, એરલાઈન્સને મળી ખુલ્લી છૂટ, શું વધશે ટિકિટના ભાવ? -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
IPL 2026: કઈ ટીમનું નેતૃત્વ કોણ કરશે? ઈશાન કિશનથી લઈને ઋતુરાજ સુધીના તમામ કેપ્ટનોની યાદી, જાણો -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
Weather News: યુપી-એમપી-બિહાર સહિત 8 રાજ્યોમાં ભારે વરસાદનો કહેર, જાણો હવામાન વિભાગની આગાહી -
Flight tickets: પેટ્રોલ-LPG પછી હવે મોંઘી થશે હવાઈ મુસાફરી? ઉડ્ડયન મંત્રીએ આપ્યો આ જવાબ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું?










Click it and Unblock the Notifications
