હવે જમીનના દસ્તાવેજો માટે મહિનો રાહ નહીં જોવી પડે, સરકારે નોટીસનો ટાઈમ ઘટાડ્યો

ગુજરાત સરકારે જમીન મહેસૂલ કાયદામાં મહત્વપૂર્ણ સુધારો કરીને રાજ્યના નાગરિકો માટે મિલકતની નોંધણી પ્રક્રિયાને અત્યંત સરળ અને ઝડપી બનાવી દીધી છે.

મહેસૂલ અધિનિયમની કલમ ૧૩૫-ડી માં ફેરફાર કરીને હવે બિનવિવાદાસ્પદ કિસ્સાઓમાં ૩૦ દિવસની લાંબી નોટિસ આપવાની પ્રથા સરકાર દ્વારા નાબૂદ કરવામાં આવી છે.

આ નવા સુધારા મુજબ, જો જમીનના તમામ હકદારોએ દસ્તાવેજમાં સહી કરી હોય, તો દસ્તાવેજ નોંધણીના દિવસે જ સરકારી રેકોર્ડમાં પાકી નોંધ પાડી દેવામાં આવશે.

સરકારના આ નિર્ણયથી રેવન્યુ કોર્ટમાં લંબાયેલા અંદાજે ૫૦,૦૦૦ જેટલા કેસોનો ઝડપી નિકાલ આવશે અને સામાન્ય જનતાને કાયદાકીય ગૂંચવણોમાંથી મુક્તિ મળશે.

અગાઉ ૩૦ દિવસની નોટિસના ગાળામાં કેટલાક તત્વો ખોટા વાંધા ઉઠાવીને બ્લેકમેલિંગ કરતા હતા, જેના પર હવે સરકારના આ કડક સુધારાથી સીધી રોક લાગશે.

ખેડૂતો અને મધ્યમ વર્ગના હિતમાં લેવાયેલા આ નિર્ણયથી હવે મિલકત ખરીદનાર કે વેચનાર કોઈપણ ડર વગર પારદર્શક રીતે પોતાના વ્યવહારો પૂર્ણ કરી શકશે.

સરકારે સ્પષ્ટ કર્યું છે કે જો જમીન પર કોઈ કોર્ટ કેસ ન હોય અને રેકોર્ડમાં તમામ હકદારોની સહી હોય, તો ૧૩૫-ડી ની નોટિસની હવે જરૂર રહેશે નહીં.

તપાસવાળા કિસ્સાઓ અથવા પાવર ઓફ એટર્ની દ્વારા થયેલા સોદામાં પણ સરકારે નોટિસનો સમયગાળો ૩૦ દિવસથી ઘટાડીને માત્ર ૭ દિવસ કરી દીધો છે.

આ સુધારો માત્ર ખેતીની જમીન જ નહીં, પરંતુ રહેણાંક મકાનો, દુકાનો અને ફ્લેટની ખરીદી કરતા સામાન્ય નાગરિકો માટે પણ વહીવટી રાહત સમાન સાબિત થશે.

સીધી લીટીના વારસદારોમાં મિલકત તબદીલી વખતે થતી બિનજરૂરી હેરાનગતિ હવે બંધ થશે અને મહેસૂલી પ્રક્રિયામાં વધુ ઝડપ તેમજ પારદર્શિતા જોવા મળશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X