તૈયબાની હુમલાની ધમકી, અમદાવાદ એલર્ટ
સરદાર વલ્લભભાઇ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટના ડિરેક્ટર આર કે સિંહએ જણાવ્યા પ્રમાણે બુધવારે લશ્કરે તોયબાના નામવાળો એક ધમકીભર્યો પત્ર અંગ્રેજીમાં અમને બુધવારે મળ્યો હતો. આ પત્રની એક કોપી રાજ્યના પોલીસ વડા ચિતરંજન સિંહને મોકલી આપવામાં આવ્યો છે અને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું કે, 'સાચા આંતકનો સામનો કરવા માટે અમદાવાદ તૈયાર રહે'ની ધમકી સાથે પત્રમાં લખવામાં આવ્યું છે કે અમદાવાદ અન્ય ચાર સ્થળો પર પણ આતંકવાદી હુમલો કરવામાં આવશે. પત્રમાં હુમલો કરવાના અન્ય જે સ્થળોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, તેમાં રામદા હોટલ, બકેરી સિટી, વિનસ રેસિડેન્સી અને હિમાલયા મોલ છે.
પોલીસના ડિરેક્ટર જનરલ ચિતરંજન સિંહે જણાવ્યું કે, એરપોર્ટ ડિરેક્ટર તરફથી જે પત્ર આપવામા આવ્યો છે તેની કોપી અમદાવાદ પોલીસ કમિશનર અને સેન્ટ્રલ આઇબીને મોકલી આપવામાં આવ્યો છે. થોડાક મહિનાઓ પહેલા અમદાવાદની ફાઇવ સ્ટાર હોટલને જે પત્ર મળ્યો હતો, તેને મળતો આવતો આ પત્ર છે. અમે આ અંગે તપાસ કરવા માટે અન્ટી ટેરર સ્ક્વોડને પણ જાણ કરી છે.
આ ઉપરાંત પોલીસ વડા દ્વારા પત્રમાં જે ચાર સ્થળોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે તે ઉપરાંત શહેરના તમામ મોલ્સ, રેલવે સ્ટેશન અને બસ સ્ટોપની સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે. અમદાવાદ શહેરને એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તેમજ એરપોર્ટ પર બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ અને સ્નિફર ડોગ્સને પણ તેનાત કરવામાં આવ્યા છે. આ તકે તમામ સુરક્ષા કર્મીઓને એલર્ટ રહેવા માટે પણ જણાવી દેવામાં આવ્યું હોવાનું પોલીસ વડાએ નોંધ્યું છે.