ગીરમાં સિંહો સુરક્ષિત છે, ક્યાંય સ્થળાંતર કરવાની જરૂર નથીઃ વિજય રૂપાણી
ગીરમાં સિંહો સુરક્ષિત છે, ક્યાંય સ્થળાંતર કરવાની જરૂર નથીઃ વિજય રૂપાણી
જૂનાગઢઃ વિશ્વભરમાં પ્રખ્યાત એવા ગીર સાસણના એશિયાટિક સિંહોના અસ્તિત્વ પર ખતરો મંડરાયો છે. છેલ્લા કેટલાક દિવસોથી સિંહોના મૃતકાંકમાં સતત વધારો થઈ રહ્યો છે. છેલ્લા એક જ મહિનામાં 14થી પણ વધુ સિંહો મૃત્યુ પામ્યા હોવાના અહેવાલ મળ્યા છે જ્યારે બીજુ અવારનવાર સોશિયલ મીડિયા પર સિંહની પજવણીના વીડિયો પણ સામે આવી રહ્યા છે જેને લઈ સિંહ પ્રોમીઓમાં પણ રોષની લાગણી જોવા મળી રહી છે.

સિંહોનાં મોત ચિંતાજનક
તાજેતરમાં ગીર અભ્યારણ્યમાં આવેલ દલણીયા રેન્જમાં 9 અને જશાઘાર રેન્જમાં 2 સિંહો મૃત્યુ પામ્યા હતા. જેમાંના 4 સિંહો ઈનફાઈટમાં મૃત્યુ પામ્યા હોવાના તથા અન્ય સિંહો અમેરિકાથી આવેલી રસી આપ્યા બાદ મૃત્યુ પામ્યા હોવાનું સામે આવ્યું હતું. એક બાજુ સિંહો સતત મૃત્યુ પામી રહ્યા છે ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું કે ગીર સાસણમાં સિંહો સુરક્ષિત હતા અને તેમનું સ્થળાંતર કરવાની કોઈ જરૂર નથી.

સરકારે કરી સ્પષ્ટતા
ગુજરાત સરકાર તરફથી સત્તાવાર નિવેદન આપી જણાવવામાં આવ્યું કે, "સાસણ ગીરમાં રહેતા સિંહોમાં બીમારી ફેલાઈ હોવાના અહેવાલ મળ્યા બાદ સર્વે અને બ્લડ સેમ્પલ કલેક્ટ કરવાની કામગીરી કરી લેવામાં આવી છે અને અત્યારે આ મામલે ઈન્ટરનેશનલ એક્સપર્ટ્સ સાથે પરામર્શ કરવામાં આવી રહ્યો છે. બધા જ રિપોર્ટ નેગેટિવ આવ્યા છે ત્યારે ચિંતા કરવાની કોઈ બાબત નથી. જો સિંહો કોઈ બીમારીમાં સપડાયા હોય તો તેમની સારવાર માટે તમામ પ્રકારની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. ગુજરાતમાં સિંહો સુરક્ષિત છે અને તેમને ક્યાંય ખસેડવાની જરૂર નથી."

ગીરમાં સિંહો સુરક્ષિત છે
રવિવારે સીએમ વિજય રૂપાણીએ જૂનાગઢના બિલખા ખાતે પત્રકરોને સંબોધતાં કહ્યું કે સિંહોના નિષ્ણાંતો સૂચવે છે કે રોગચાળો કે કુદરતી આફતોમાં મૃત્યુદર વધે નહિ તે માટે સિંહોના ભૌગોલિક ઘર પણ અલગ કરવા જોઈએ. 2013માં સુપ્રીમ કોર્ટે ગુજરાતમાંથી એશિયાટિક સિંહોને મધ્ય પ્રદેશમાં સ્થળાંતરિત કરવાનો ઓર્ડર આપ્યો હતો, ત્યારે પણ ગુજરાત સરકારે ભારપૂર્વક આ નિર્ણયનો વિરોધ કર્યો હતો.
-
Gold Rate Today: સોનું ફરી થયું સસ્તું, જાણો લેટેસ્ટ કિંમત -
Gujarat Weather: રાજ્યમાં આજે છૂટાછવાયા વરસાદની આગાહી, જાણો તમારા જિલ્લાની સ્થિતિ -
Mumbai Ahmedabad Bullet Train: બુલેટ ટ્રેન પ્રોજેક્ટ હવે પકડશે રોકેટ જેવી રફ્તાર, જાણો લેટેસ્ટ અપડેટ -
Ishan Kishan: IPLની પ્રથમ મેચમાં ઈતિહાસ રચશે ઈશાન કિશન, 2 રન બનાવીને કોહલી-રોહિતના ક્લબમાં થશે સામેલ -
New Income Tax Rules: સેલેરીથી લઈને શેરબજાર સુધી! 1 એપ્રિલથી બદલાઈ જશે આ મોટા નિયમ -
Weather Alert: યુપી-બિહાર સહિત 17 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, IMDએ આપી ચેતવણી -
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ વડોદરા પોલીસના કમાન્ડ એન્ડ કન્ટ્રોલ સેન્ટરનું કર્યું ઉદ્ધાટન -
Flight tickets: પેટ્રોલ-LPG પછી હવે મોંઘી થશે હવાઈ મુસાફરી? ઉડ્ડયન મંત્રીએ આપ્યો આ જવાબ -
IPL 2026 પહેલા આવ્યા મોટા સમાચાર! ફેન્સને FREEમાં મળશે આ સુવિધા, આ બાબતોનું રાખવું પડશે ધ્યાન -
Gujarat Weather: હવે કમોસમી વરસાદની શક્યતા નહિવત, આગામી દિવસોમાં વધશે ગરમી, જાણો હવામાન વિભાગની આગાહી -
Middle East Crisis: PM મોદી એક્શન મોડમાં, ક્રૂડ ઓઈલ, ગેસ અને ફર્ટિલાઈઝરની સપ્લાય પર મોટો નિર્ણય! -
Dhurandhar 2 BO Collection Day 3: ત્રીજા દિવસે રણવીર સિંહની 'ધુરંધર 2'એ મચાવી ધમાલ, કમાણીએ તોડ્યા રેકોર્ડ







Click it and Unblock the Notifications
