લંડનમાં બનશે ગાંધીજીનું સ્થાયી સ્મારક: પ્રીતિ પટેલ

ગાંધીનગર, 9 જાન્યુઆરી: લંડનમાં મહાત્મા ગાંધીનું સ્મારક બનશે. બ્રિટનની સાંસદ પ્રીતિ પટેલે બુધવારે ગાંધીનગરના મહાત્મા મંદિરમાં પ્રવાસી ભારતીય દિવસ (પીબીડી)ના ઉદઘાટન સત્રમાં આ જાહેરાત કરી. લંડન સ્ક્વેયરમાં લાગનાર આ ગાંધીજીની આ સ્મારક સ્થાયી હશે, જે બ્રિટન તથા ભારતની મિત્રતાને મજબૂત કરશે. આ સંમેલનમાં બ્રિટનના પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કરી રહેલી પ્રીતિ પટેલે કહ્યું કે બ્રિટનમાં વસવાટ કરતાં લગભગ 15 લાખ ભારતીય સમુદાય સૌથી પ્રતિભાવશાળી તથા મહત્વાકાંક્ષી છે.

તેમણે બ્રિટનમાં વસવાટ કરતાં યુવા પ્રવાસી ભારતીયોની મહેનતના વખાણ કર્યા હતા. પ્રીતિ પટેલે બ્રિટનના વડાપ્રધાન ડેવિડ કેમરૂનનો હવાલો આપતાં કહ્યું હતું કે બ્રિટનના બધા ક્ષેત્રોના વિકાસમાં ત્યાં વસતા ભારતીયોનું ખૂબ મોટું યોગદાન છે.

mahatma-gandhi

ગાંધીજી સૌથી મોટા પ્રવાસી
બ્રિટનનઈ સાંસદ પ્રિતી પટેલે મહાત્મા ગાંધીને સૌથી મોટા પ્રવાસી ગણાવ્યા. ગાંધીજીએ દક્ષિણ આફ્રિકાથી ભારત પરત ફર્યા બાદ આઝાદીની લડાઇ લડાઇમાં સૌથી મહત્વપૂર્ણ યોગદાન આપ્યું અને બ્રિટિશ સત્તાને ઉખાડી ફેંકી. પ્રીતિ પટેલે પોતાના સંબંધનમાં પોતાને ગુજરાતી ગણાવ્યા હતા. તેમણે કહ્યું કે તેમને પોતાના ગૃહ રાજ્ય આવીને ખુશી મળી છે. આ સંમેલન ખૂબ ઐતિહાસિક અને પ્રેરણાસ્પદ છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X