ઇડરમાં મહાદેવના મંદિરમાં મૂર્તિઓ ખંડિત, શહેરમાં બંધ પળાયો
ઇડર, 31 જુલાઇ : ઉત્તર ગુજરાતમાં આવેલા સાબરકાંઠાના ઇડરમાં બુધવારે હિન્દુ અને મુસ્લિમ સમુદાયે સ્વૈચ્છિક બંધ પાળ્યો હતો. આ બંધ પવિત્ર ઇદના દિવસે જ ઇડરિયા ગઢ ઉપર આવેલા દૂધેશ્વર મહાદેવના મંદિરમાં આવેલી માતા પાર્વતી અને નંદીની મૂર્તિને વિસ્થાપિત કરીને તેનો ભંગ કરીને ફેંકવાની ઘટનાના વિરોધમાં પાળવામાં આવ્યો હતો.
નોંધનીય છે કે ગાયકવાડ રાજાના શાસનમાં બાંધવામાં આવેલું દૂધેશ્વર મહાદેવ મંદિર ઇડરિયા ગઢ ઉપર આવેલું છે. ઇદના દિવસે બપોરના સમયે કોઇ અજાણા શખ્સે મંદિરમાં આવીને માતા પાર્વતી અને નંદીની મૂર્તિ ઉખાડી તેને ખંડિત કરીને પાસે આવેલી જગ્યામાં નથી દીધી હતી.

સ્થાનિક લોકોને આ વાતની જાણ સાંજે થઇ હતી, જ્યારે તેઓ આરતી કરવા માટે મંદિરમાં આવ્યા હતા. બુધવારે સ્થાનિક લોકોએ એક મોટી રેલી કાઢીને કલેક્ટર ઓફિસ પહોંચ્યા હતા અને આ લાગણી દુભાય તેવું અસામાજિક કૃત્ય કરનારી વ્યક્તિની ધરપકડ કરવાની માંગણી કરી હતી.
વિશ્વ હિન્દુ પરિષદ અને ઇડર નગર ઉત્સવ સમિતી દ્વારા આ ઘટનાના વિરોધમાં બુધવારે બંધનું એલાન કરવામાં આવ્યું હતું. જેમાં મુસ્લિમ સમુદાય પણ જોડાયો હતો અને ઘટના આચરનારાને કડક સજા કરવાની માંગ કરી હતી.
મૂર્તિ ખંડિત કરનારને બે દિવસમાં પકડી પાડવામાં નહીં આવે તો જલદ કાર્યક્રમ કરવાની ચીમકી પણ સ્થાનિકોએ આપી છે.
-
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ -
નાના થઈ જશે ગેસ સિલિન્ડર? જાણો શું છે હકિકત? -
ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીઓ માટે મતદાર યાદી જાહેર, જાણો કેટલા મતદાર?






Click it and Unblock the Notifications
