વાઘોડીયા બેઠકના ભાજપના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે આપ્યુ રાજીનામુ
ભાજપના વડોદરના વાઘોડીયા બેઠકના ધારાસબ્ય મધુ શ્રીવાસ્તવે ગુજરાત વિધાનસભાની ટીકિટ ના મળતા રાજીનામુ આપી દીધુ હતુ. ભાજપથી નારાજ મધુ શ્રીવાસ્તવે અપક્ષ ઉમેદવારી નોંધવાનો નિર્ણય કર્યો છે. ભાજપના પ્રદેશ નેતૃત્વને મધુ શ્રીવાસ્તવન
ભાજપના વડોદરના વાઘોડીયા બેઠકના ધારાસબ્ય મધુ શ્રીવાસ્તવે ગુજરાત વિધાનસભાની ટીકિટ ના મળતા રાજીનામુ આપી દીધુ હતુ. ભાજપથી નારાજ મધુ શ્રીવાસ્તવે અપક્ષ ઉમેદવારી નોંધવાનો નિર્ણય કર્યો છે. ભાજપના પ્રદેશ નેતૃત્વને મધુ શ્રીવાસ્તવની ફરિયાદો મળતી હતી. તેના લીધે તેની ટીકિટ કાપી હોવાનું માનવામાં આવી રહ્ય છે.

વાઘોડીયા બેઠક પર વર્ષોથી તે ભાજપમાથી ચૂંટણી લડતા હતા. અને જીત પણ મેળવતા હતા. પરંતુ સાથે સાથે તેની દબંગ ઇમેજના લીધે કાર્યકર્તા નારાજ રહેતા હત. એટલે ભાજપના કાર્યકર્તાઓમાં નારાજગી હતી. મધુ શ્રીવાસ્તવને ટીકિટ નહી આપવા માટે કાર્યકર્તાઓની લાગણી પણ દવાબગાપ બોવાનું માનવામા આવે છે.
મધુ શ્રીવાસ્તવે આજે ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલને પત્ર લખીને ભાજપના પ્રથમિક સભ્યપદેથી રાજીનામુ આપ્યુ હતુ. તેમા તેમણે જમાવ્યું હતુ કે, ભાજપના એક અધના કાર્યકરથી કાર્યરત રહ્યો છુ. પાર્ટીએ કામ કરવાની તક આપી એટલે તેનો આભાર પણ માન્યો હતો. ભાજપના રાષ્ટ્રીય, પ્રદેશ અને સન્થાનિક નેતાઓનો આભાર માન્યો હતો.
મધુ શ્રીવાસ્તવે આજે વાઘોડીયા ખાતે પોતાના કાર્યકર્તાઓ સાથે બેઠક કરીને શક્તિ પ્રદર્શન કર્યુ હતુ. અને તેમા તેણે ભાજપે જે તક આપી તેનો આબાર માનીને પોતાના કાર્યકર્તા જેો કહેશે તો અપક્ષ ઉમેદવરી કરશે. તેમ જણાવ્યું હતુ.












Click it and Unblock the Notifications
