મનીષ સિસોદિયા માંડવી બળાત્કાર હત્યા કેસમાં પરિવારજનોની મુલાકાત લેશે
દિલ્હીના ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયા માંડવી બળાત્કાર હત્યા કેસનાં પીડિત સ્વ.ભાવનાબેનના પરિવારજનોની મુલાકાત લેશે...
દિલ્હીના ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયા માંડવી બળાત્કાર હત્યા કેસનાં પીડિત સ્વ.ભાવનાબેનના પરિવારજનોની મુલાકાત લેશે. આજથી ત્રેવીસ દિવસ પહેલા ભાવનગરના માંડવી ગામ ખાતે ભાવનાબેન પટેલની બળાત્કાર કર્યા બાદ નિર્મમ હત્યા કરવામાં આવી હતી.
જેને આજે લાંબો સમય વીતી ગયા બાદ પણ પરિવારજનોને ન્યાય નથી મળી રહ્યો. સમગ્ર મામલામાં હજુ સુધી માત્ર એક જ ધરપકડ કરવામાં આવી છે. ગ્રામજનો, પરિવારજનો, વિભિન્ન સમાજના લોકો તથા સંગઠનોએ અનેક વખત ઉગ્ર રજૂઆતો કર્યા બાદ પણ કોઈ ફરક પડ્યો નથી. ત્યારે આમ આદમી પાર્ટીના નેતાઓ ઘ્વારા થોડા સમય અગાઉ પરિવારજનોની મુલાકાત લેવામાં આવી હતી અને પરિવારને ન્યાય મળે અને કેસના દોષિતો ઉપર કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી. તા. 26-12-2016ના રોજ આમ આદમી પાર્ટીના નેતા અને દિલ્હીના ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયા પીડિતના પરિવારની મુલાકાર લેશે અને પરિવારને તાત્કાલિક ન્યાય મળે તેની માંગ કરશે.