For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મનીષ સિસોદિયા માંડવી બળાત્કાર હત્યા કેસમાં પરિવારજનોની મુલાકાત લેશે

દિલ્હીના ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયા માંડવી બળાત્કાર હત્યા કેસનાં પીડિત સ્વ.ભાવનાબેનના પરિવારજનોની મુલાકાત લેશે...

By Manisha Zinzuwadia
|
Google Oneindia Gujarati News

દિલ્હીના ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયા માંડવી બળાત્કાર હત્યા કેસનાં પીડિત સ્વ.ભાવનાબેનના પરિવારજનોની મુલાકાત લેશે. આજથી ત્રેવીસ દિવસ પહેલા ભાવનગરના માંડવી ગામ ખાતે ભાવનાબેન પટેલની બળાત્કાર કર્યા બાદ નિર્મમ હત્યા કરવામાં આવી હતી.

manish

જેને આજે લાંબો સમય વીતી ગયા બાદ પણ પરિવારજનોને ન્યાય નથી મળી રહ્યો. સમગ્ર મામલામાં હજુ સુધી માત્ર એક જ ધરપકડ કરવામાં આવી છે. ગ્રામજનો, પરિવારજનો, વિભિન્ન સમાજના લોકો તથા સંગઠનોએ અનેક વખત ઉગ્ર રજૂઆતો કર્યા બાદ પણ કોઈ ફરક પડ્યો નથી. ત્યારે આમ આદમી પાર્ટીના નેતાઓ ઘ્વારા થોડા સમય અગાઉ પરિવારજનોની મુલાકાત લેવામાં આવી હતી અને પરિવારને ન્યાય મળે અને કેસના દોષિતો ઉપર કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી. તા. 26-12-2016ના રોજ આમ આદમી પાર્ટીના નેતા અને દિલ્હીના ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયા પીડિતના પરિવારની મુલાકાર લેશે અને પરિવારને તાત્કાલિક ન્યાય મળે તેની માંગ કરશે.

English summary
manish sisodia will meet family of mandvi rape muder case
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X