માયાવતી પહોંચ્યા અમદાવાદ, જાણો માયાવતીનો કાર્યક્રમ
બહુજન સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ માયાવતી આજે ગુજરાતના પ્રવાસ પર છે. અમદાવાદ પહોંચીને માયાવતી સૌ પ્રથમ સારંગપુર ખાતે બાબા સાહેબ આબંડકરની પ્રતિમાને પુષ્પાજંલિ અર્પી હતી. જે બાદ તે અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે ઉનાના દલિત પીડિતોને મળશે. નોંધનીય છે કે જ્યારથી ઉનાના દલિત પ્રકરણે રાજકીય રંગ લીધો છે એક પછી એક મોટા નેતાઓ ઉનાના દલિત પિડીતોને મળવા આવી રહી છે.

વળી સંસદમાં પણ માયાવતીએ જ આ મુદ્દાને ઉછાળ્યો હતો. ત્યારે આજના એક દિવસીય પ્રવાસમાં માયાવતી અમદાવાદ ખાતે જ ઉના પીડિતોને મળી રવાના થશે. સાથે જ તે ગુજરાતના બસપા નેતાઓ સાથે પણ મુલાકાત કરશે અને ગુજરાતમાં તેમની આગળની રણનીતિ પર પણ ચર્ચા કરશે.












Click it and Unblock the Notifications
