સ્ટેચ્યુ ઓફ યુનિટીના નિર્માણ માટે દિલ્હીમાં બેઠક

કે. શ્રીનિવાસ, આઇ.એ.એસ., સભ્ય સચિવ, સરદાર વલ્લભભાઇ પટેલ રાષ્ટ્રીય એકતા ટ્રસ્ટ, કે જે આ પરિયોજનાનો કાર્યભાર ધરાવે છે, તેમણે આ પરિયોજનાની વિસ્તૃત માહિતીની પરિકલ્પના અને સાથે સાથે આસપાસના વિસ્તારના આર્થિક વિકાસના આયોજનથી સર્વે ઉપસ્થિત સજ્જનોને માહિતગાર કર્યા હતા. સાથે સાથે તેમણે સરદાર પટેલની દિર્ઘદ્રષ્ટી અને સર્વાંગી વિકાસના મુદ્દાઓ પણ પોતાની ચર્ચામાં આવરી લીધા હતા.
આ પરિયોજનાની પરિકલ્પના વિશેની વિસ્તૃત માહિતી પરિયોજનાના પ્રબંધક તરીકે જેમની નિમણુંક કરી છે એ ટર્નર પ્રોજેકટ મેનેજમેન્ટ કન્સલટન્ટના પ્રબંધન નિર્દેશક તરફથી આપવામાં આવી હતી. અંતમાં આ પરિયોજનામાં પોતાના રસ-રૂચી દાખવનાર કંપનીના પ્રતિનિધિઓ તરફથી પરિયોજનાના વિવિધ પાસાઓની જાણકારી માટેના સવાલો થયા હતા અને ટ્રસ્ટના સભ્યઓ તરફથી તેમના યોગ્ય ઉત્તરો પણ આપવામાં આવ્યા હતા જેમાં પરિયોજનાની ડિઝાઇન માટેના જરૂરી પરિબળો વિશે અને પરિયોજનાના સમય વિશેના પ્રશ્નોત્તરી મુખ્ય હતા.
ઉપસ્થિત વિવિધ કંપનીના પ્રતિનિધિઓએ ગુજરાત સરકાર તરફથી આ પરિયોજના માટે લેવામાં આવતા રસ-રૂચી અને આ યોજનાની પરિકલ્પનાને ઉત્સાહપૂર્વક વધાવી લઇ આ પરિયોજનાના બાંધકામમાં ભાગીદાર થવા માટે પોતાના રસ-રૂચી દાખવી યોગ્ય સહકાર આપવા પોતાનો ઉત્સાહ દર્શાવ્યો હતો.












Click it and Unblock the Notifications
