હરિયાણામાં 28 જિલ્લા પંચાયતના સભ્યો AAPમાં જોડાશે, બે જિલ્લા પંચાયતમાં અધ્યક્ષ પદનો દાવો

આમ આદમી પાર્ટી દિલ્હી અને પંજાબ બાદ હરિયાણા, ગુજરાત, હિમાચલ પ્રદેશ અને ઉત્તરપ્રદેશ સહિતના રાજ્યોમાં જનાધાર વધારવા માટે સતત પગલા ભરતી જોવા મળી રહી છે.

આમ આદમી પાર્ટી દિલ્હી અને પંજાબ બાદ હરિયાણા, ગુજરાત, હિમાચલ પ્રદેશ અને ઉત્તરપ્રદેશ સહિતના રાજ્યોમાં જનાધાર વધારવા માટે સતત પગલા ભરતી જોવા મળી રહી છે. હાલમાં જ હરિયાણામાં જિલ્લા પંચાયતની ચૂંટણીને લઈને હવે આમ આદમી પાર્ટીના નેતા અનુરાગ ઢાંડાનું નિવેદન સામે આવ્યુ છે. અહીં તેમણે હરિયાણાની બે જિલ્લા પંચાયત પર કબ્જો કરવાની વાત કરી છે.

aap

પંચાયત ચૂંટણીને લઈને અનુરાગ ઢાંડાનું આ નિવેદન સામે આવ્યુ છે. અનુરાગ ઢાંડાએ વાત કરતા જણાવ્યુ કે, નવા ચૂંટાયેલા 28 જિલ્લા પંચાયતના સભ્યોએ આમ આદમી પાર્ટીનો સંપર્ક કર્યો છે. આ તમામ ટૂંક સમયમાં આપ સાથે જોડાશે. અહીં તેમણે મોટો દાવો કરતા કહ્યું કે, આમ આદમી પાર્ટી બે જિલ્લામાં અધ્યક્ષ પદ માટે ઉમેદવારો ઉભા રાખશે.

આગળ વાત કરતા અનુરાગ ઢાંડાએ જણાવ્યુ કે, ચૂંટણીમાં આમ આદમી પાર્ટીમાંથી 214 સભ્યો કે સમર્થકો ચૂંટાયા છે. સરપંચ અને પંચની ચૂંટણી બાદ આમ આદમી પાર્ટીને જિલ્લા પંચાયતની ચૂંટણીમાં પણ સફળતા મળી છે. જિલ્લા પરિષદની ચૂંટણીમાં 15 ઉમેદવારોએ જીત નોંધાવી છે. તેમણે કહ્યું કે રાજ્યની જનતાએ ભાજપને અરીસો બતાવી દીધો છે.

અહીં તમને જણાવી દઈએ કે, હાલ આમ આદમી પાર્ટી દેશના અલગ અલગ રાજ્યોમાં જનસમર્થન વધારવા માટે મેદાને પડી છે. આ પહેલા તેણે ગુજરાતમાં પણ ચૂંટણી લડી હતી અને હાલ વિધાનસભા ચૂંટણી લડી રહી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X