સુરતમાં બિહારના યુવકનું મોબ લિંચિંગ, લોખંડની પાઈપથી મારી મારીને હત્યા
સુરતમાં બિહારના ગયાના રહેવાસી એક યુવકની લોખંડની પાઈપથી મારી મારીને હત્યા કરી દેવામાં આવી છે.
ગુજરાતમાં ઉત્તર ભારતીયો સાથે મારપીટ અને દુર્વ્યવહારની ઘટનાઓનો સિલસિલો રોકાવાનું નામ નથી લઈ રહ્યો. સુરતમાં બિહારના ગયાના રહેવાસી એક યુવકની લોખંડની પાઈપથી મારી મારીને હત્યા કરી દેવામાં આવી છે. યુવકનું નામ અમરજીત સિંહ બતાવવામાં આવી રહ્યુ છે. શુક્રવારે રાતે અમરજીત નામનો યુવક પાંડેશ્વરા વિસ્તાર સ્થિત એક મિલમાંથી કામ કરીને પાછો આવી રહ્યો હતો. ત્યારે કેટલાક લોકોએ તેના પર હુમલો કરી માર મારીને હત્યા કરી દીધી.

યુવક સુરતમાં છેલ્લા 15 વર્ષોથી રહેતો હતો. તે પાંડેશ્વરા વિસ્તારની એક મિલમાં કામ કરતો હતો અને ત્યાં મજૂરો પણ પૂરા પાડતો હતો. પરિવારજનોનું કહેવુ છે કે શુક્રવારે સાંજે તે મિલમાંથી ઘરે પાછો આવી રહ્યો હતો ત્યારે હિંસક ભીડે તેની હત્યા કરી દીધી. આ ઘટનાથી વિસ્તારમાં રહેતા ઉત્તર ભારતીયોમાં દહેશતનો માહોલ છે. યુવકના પરિવારનો દાવો છે કે તેની લોખંડની પાઈપથી માર મારીને હત્યા કરી દેવામાં આવી. ગુજરાત પોલિસ તેને એક અકસ્માત ગણાવી રહી છે.
અમરજીત 15 વર્ષ પહેલા ત્યાં રોજગારની તપાસમાં બિહારથી સુરતમાં આવ્યો હતો. ઘણા વર્ષોની મહેનત પછી અમરજીતે ત્યાં પોતાનું એક ઘર બનાવ્યુ હતુ અને લગ્ન પણ કરી લીધા હતા. અમરજીતના બે બાળકો છે. અમરજીત બિહારમાં ગયા જિલ્લાના કોંચના કોંડિયા ગામનો રહેવાસી હતો. અમરજીતના પિતા એક સેવાનિવૃત્ત સૈનિક છે. તેમણે આરોપ લગાવ્યો છે કે ગુજરાતમાં બિહારીઓ સામે બનેલા ખોટા વાતાવરણના કારણે તેમના પુત્રની હત્યા થઈ છે.
આ ઘટના પર સુરત પોલિસનું કહેવુ છે કે આ મોબ લિંચિંગની ઘટના નથી પરંતુ યુવકનું મોત એક રોડ અકસ્માતમાં થયુ છે. તમને જણાવી દઈએ કે 28 સપ્ટેમ્બરે ગુજરાતના સાબરકાંઠામાં 14 મહિનાની એક બાળકી સાથે બળાત્કાની ઘટના બની હતી. આ મામલે બિહારના રવિન્દ્ર સાહૂ નામના એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી. ત્યારબાદથી બિન ગુજરાતીઓ ખાસ કરીને યુપી, બિહાર અને મધ્યપ્રદેશના લોકોને ટાર્ગેટ કરવાનું શરૂ કરી દીધુ. અત્યાર સુધીમાં 50 હજાર ઉત્તર ભારતીયોના પલાયનના સમાચાર છે.
-
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ -
નાના થઈ જશે ગેસ સિલિન્ડર? જાણો શું છે હકિકત? -
ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીઓ માટે મતદાર યાદી જાહેર, જાણો કેટલા મતદાર?






Click it and Unblock the Notifications
